Fri May 01 2026

Logo

રહેમાન ડકૈતના પાત્ર માટે અક્ષય ખન્ના ફર્સ્ટ ચોઈન ન હતા, કાસ્ટિંગ ડાયરેક્ટરે કહી મોટી વાત

2026-04-03 22:40:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 'ધુરંધર' ગયા વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક હતી. આ વર્ષે પણ 'ધુરંધર-2' બોક્સઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ પ્રશંસા મળી હતી. 'ધુરંધર'માં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, આર. માધવન, સારા અર્જુન અને રાકેશ બેદી જેવા અનુભવી કલાકારોનો સમાવેશ થતો હતો, જોકે 'ધુરંધર'માં અક્ષય ખન્ના ખરેખર લાઈમલાઈટ લૂંટી ગયા હતા. 

400 જેટલા લોકોના ઓડિશન લેવાયા
આ ફિલ્મમાં રહેમાન ડાકૈતનું પાત્ર ભજવ્યું હતું,'ધુરંધર' ફિલ્મે પણ ₹1,000 કરોડની કમાણી કરી હતી. આ ભૂમિકામાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. હવે, 'ધુરંધર'ના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા એ રહેમાનની ભૂમિકા અંગે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે ખુલાસો કર્યો કે, તેમાંની નજરમાં એક દક્ષિણ ભારતીય અભિનેતા હતા, જ્યારે બે બોલિવૂડના હતા. આ એક કલાકાર-કાસ્ટ ફિલ્મ છે, પરંતુ મૂળભૂત રીતે તે રણવીર સિંહની ફિલ્મ છે. મુકેશે આને "ખૂબ જ વિચિત્ર તર્ક" ગણાવ્યો. ફિલ્મની વાર્તા સાંભળીને મુકેશ છાબરા પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. ચાર કલાક દરમિયાન મને વાર્તા કહેવામાં આવી. તે સાંભળ્યા પછી, હું આઘાતમાં હતો. મેં વિરામ લીધો નહીં અને કલાકારની તપાસ શરૂ કરી. ફિલ્મની કાસ્ટિંગ પ્રક્રિયામાં લગભગ બે વર્ષ લાગ્યા. ચોક્કસ ભૂમિકાઓ માટે, એક હજારથી વધુ ઓડિશન લેવામાં આવ્યા હતા. કુલ મળીને, ફિલ્મના બંને ભાગોમાં આશરે 400 પાત્રોને કાસ્ટ કરવા પડ્યા હતા.

કોઈ કલાકારના નામ વગર વાત કરી
આ મુલાકાતમાં મુકેશ છાબડાએ સ્પષ્ટતા કરી હતી કે, હું કોઈનું નામ લેવા નથી માગતો પણ બેથી ત્રણ એક્ટરનો એપ્રોચ કરવામાં આવ્યો હતો.પણ આ કલાકારોએ ના પાડી દીધી હતી. મને વિશ્વાસ છે કે, આ જે લોકોએ ના પાડી એ બે ત્રણ લોકોને આજે અફસોસ થતો હશે. બે કલાકારો બોલિવૂડમાંથી હતા. આ ફિલ્મ કોઈ સામાન્ય ફિલ્મ નથી એસેમ્બલ કાસ્ટ ફિલ્મ છે.રણવીરસિંહ આ ફિલ્મ માટે તરત જ તૈયાર થઈ ગયો હતો.એ પછી તે સ્ક્રિપ્ટ માટે તૈયાર થયો અને પોતાના પર કામ કરવાનું ચાલું કરી દીધું. યાલિનાના પાત્ર માટે ઘણી મહેનત કરી છે. પછી અંતે સારા અર્જુન પર પસંદગી ઊતારવામાં આવી હતી. મને કાસ્ટિંગ માટે પૂરી રીતે ફ્રીડમ આપવામાં આવી હતી. રહેમાનના પાત્ર માટે અંતમાં એવું પાત્ર જોઈતું હતું કે, જે સ્ક્રિન પર બોલે પણ સેટ પર ખૂબ શાંત રહે. એ પછી અક્ષય ખન્ના પર પસંદગી ઊતારવામાં આવી.