Sat Apr 18 2026

Logo

દિલ્હી ત્રિપલ  મર્ડર કેસમાં મોટો ખુલાસો, તાંત્રિકના ફિરોઝાબાદના ઘરમાંથી ત્રણ માળાઓ મળી

2026-02-15 19:24:17
Author: Chandrakant Kanojia
Article Image

દિલ્હી : દિલ્હીના ત્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. આ હત્યા  કથિત તાંત્રિક વિધિ માટે કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. હત્યા કેસમાં ધરપકડ કરાયેલા તાંત્રિકે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં તેના ઘરના તંત્ર રૂમમાં ત્રણ માળા ચઢાવી હતી. ફિરોઝાબાદમાં તંત્ર ધ્યાન ખંડની દિવાલ પર દોરેલા ત્રણ પ્રતીકો પર માળા લટકતી મળી આવી હતી. આ  ઘરના ભાડૂઆતોએ જણાવ્યું હતું કે  કમરુદ્દીન હત્યાના એક અઠવાડિયા પહેલા ફિરોઝાબાદ આવ્યો હતો.

ત્રિપલ હત્યાકાંડનો મુખ્ય આરોપી તાંત્રિક કમરુદ્દીન  કુખ્યાત ગુનેગાર

દિલ્હીના પીરગઢીમાં થયેલ ત્રિપલ હત્યાકાંડનો મુખ્ય આરોપી તાંત્રિક કમરુદ્દીન  કુખ્યાત ગુનેગાર જ  નહિ  પણ ધાર્મિક કટ્ટર છે. દિલ્હીમાં ઝેરી મીઠાઈ ખવડાવીને ત્રણ લોકોની હત્યા કર્યા બાદ  રામગઢના અજમેરી ગેટના રહેવાસી કમરુદ્દીને તેના પરિવારનો સંપર્ક કર્યો. તેણે તેના તાંત્રિક રૂમની દિવાલ પર ત્રણ કાળા પ્રતીકો દોર્યા હતા અને ફૂલોની  માળા પહેરાવી હતી.

હત્યાઓ તાંત્રિક વિધિ માટે કરી 

દિલ્હી પોલીસ ગુરુવારે  તપાસ માટે ફિરોઝાબાદ પહોંચી  ત્યારે તાંત્રિક રૂમમાં દિવાલ પર કાળા રંગથી બનેલા ત્રણ રહસ્યમય કાળા પ્રતીકો પર લટકાવેલી   માળા પણ મળી આવી હતી.  જે સૂચવે છે કે તેણે આ હત્યાઓ તાંત્રિક વિધિ માટે કરી હતી. 

પોતાને એક તાંત્રિક તરીકે સ્થાપિત કર્યો

સ્થાનિક લોકોના  જણાવ્યા અનુસાર  લગભગ 20 વર્ષ પહેલાં તેણે બસઈ મોહમ્મદપુરમાં એક દરગાહની મુલાકાત લેવાનું શરૂ કર્યું, ત્યારબાદ તે તંત્ર મંત્રની  દુનિયામાં સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. તેમજ  ધીમે ધીમે તેણે પોતાને એક તાંત્રિક તરીકે સ્થાપિત કર્યો અને લોકોને તેના જાળમાં ફસાવવાનું શરૂ કર્યું હતું.