Fri Apr 17 2026

Logo

કોંગ્રેસે શિવસેના (યુબીટી) પર પ્રાદેશિક સાથી પક્ષોનો ઉપયોગ ‘કાખઘોડી’ તરીકે કરવાનો આરોપ લગાવવા બદલ ટીકા કરી

2026-04-06 21:03:12
Author: Vipul Vaidya
Article Image

મુંબઈ: કોંગ્રેસે સોમવારે શિવસેના (યુબીટી) પર આકરા પ્રહારો કર્યા કે શિવસેનાએ એવો આરોપ લગાવ્યો હતો કે કૉંગ્રેસ પ્રાદેશિક સંગઠનોનો ઉપયોગ ‘કાખઘોડી’ તરીકે કરી રહી છે અને તેમને વિપક્ષી ગઠબંધનમાં ‘સમાન હિસ્સેદારો’ તરીકેનું સ્થાન આપવામાં આવતું નથી.મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે શિવસેના (યુબીટી)ના મુખપત્ર ‘સામના’માં ઉપરોક્ત આરોપ કરતા સંપાદકીય લેખની ટીકા કરતાં જણાવ્યું હતું કે  અખબારના કાર્યકારી સંપાદક, સાંસદ સંજય રાઉત, રાજકારણી અને પત્રકાર તરીકેની તેમની ભૂમિકાઓ વચ્ચે ઘણી વખત મૂંઝવણમાં દેખાય છે.

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કડક શબ્દોમાં લખેલી પોસ્ટમાં, તેમણે નોંધ્યું હતું કે જ્યારે પત્રકારનું કર્તવ્ય ખામીઓ નિરપેક્ષપણે દર્શાવવાનું છે, ત્યારે રાજકીય પ્રવક્તા ઘણીવાર વિરોધીઓને નિશાન બનાવે છે અને બંને ભૂમિકાઓને ગૂંચવવાથી વ્યક્તિની પોતાની જવાબદારીને અવગણવામાં આવે છે.
તેમણે એવો દાવો કર્યો હતો કે રાઉત જે કંઈ કહે છે તેને ‘અંતિમ સત્ય’ માને છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને નથી લાગતું કે મહા વિકાસ આઘાડી (એમવીએ) જેવા ગઠબંધનમાં, બધા ઘટક પક્ષોના પોતાના મંતવ્યો હોય છે, જેની જાહેરાત કરતા પહેલા ચર્ચા થવી જોઈએ.

‘એકપક્ષીય નિર્ણયો લેવા અને પછી કોંગ્રેસના નેતાઓ પર નજર રાખવી એ ગઠબંધનની રાજનીતિની ભાવના સાથે સુસંગત નથી,’ એમ સાવંતે કહ્યું હતું અને એવો સવાલ કર્યો હતો કે શું આવો અભિગમ યોગ્ય છે.કોંગ્રેસના નેતાએ વધુમાં દાવો કર્યો કે ગઠબંધનમાં સંકલન અને સંવાદના અભાવે મુંબઈ અને ચંદ્રપુરની મુખ્ય પાલિકાઓમાં એમવીએએ સત્તા ગુમાવી છે.‘અમે નિષ્ઠાપૂર્વક ભાજપ સામે લડી રહ્યા છીએ અને દોષારોપણમાં સામેલ થવામાં અમને રસ નથી. આત્મનિરીક્ષણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે,’ એમ તેમણે કહ્યું હતું.

શિવસેના (યુબીટી)એ સામનાના તંત્રીલેખમાં કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું, ‘જે લોકો કેન્દ્રમાં સરકારનું નેતૃત્વ કરવાની મહત્વાકાંક્ષા રાખે છે તેઓએ પ્રાદેશિક પક્ષોનો ઉપયોગ ફક્ત કાખઘોડી તરીકે ન કરવો જોઈએ, પરંતુ તેમને સમાન હિસ્સેદારો તરીકે ગણવા જોઈએ.’
પ્રાદેશિક પક્ષોને સમાવિષ્ટ કરવાથી નબળાઈ દેખાતી નથી, પરંતુ તે રાજકીય પરિપક્વતાની નિશાની છે, એમ તેમાં જણાવાયું છે.જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવવા માંગે છે, તો રાજ્યોમાં મજબૂત ગઠબંધન એકમાત્ર વિકલ્પ છે, અને તે સંદેશ આપવો જોઈએ કે રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં, તે પ્રાદેશિક ખેલાડીઓનું સન્માન કરે છે, એમ સેના (યુબીટી) એ કહ્યું હતું. 

તાજેતરની રાજ્યસભા ચૂંટણીઓ અને આગામી વિધાનસભા પરિષદની ચૂંટણીઓને લઈને પાર્ટીનો ગુસ્સો મહારાષ્ટ્ર રાજ્ય કોંગ્રેસ નેતૃત્વ પર હતો.કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) રાજ્યસભા ચૂંટણી લડવા માટે ઉત્સુક હતા, પરંતુ એનસીપી (એસપી)ના વડા શરદ પવાર સર્વસંમતિથી ઉમેદવાર બન્યા, અને તેઓ બિનહરીફ જીત્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સકપાળે એવું નિવેદન કર્યું હતું કે વિધાન પરિષદની ચૂંટણી માટે ચર્ચા થવી જોઈએ. આનો વિરોધ કરતા શિવસેના (યુબીટી)એ એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ પવારના આ વલણથી નારાજ છે કે એનસીપી (એસપી) વિધાનસભા પરિષદની ચૂંટણી માટે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા કોઈપણ ઉમેદવારને ટેકો આપશે.

તેમણે વધુમાં નોંધ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં એમવીએનો ફાયદો, 48 માંથી 30 બેઠકો જીતીને, ગઠબંધનની અંદર સંકલન અને સંવાદને કારણે થયો હતો.સેના (યુબીટી)એ મહારાષ્ટ્રમાં વર્તમાન ‘અરાજક’ પરિસ્થિતિ માટે કોંગ્રેસને પણ જવાબદાર ઠેરવી હતી, અને નિર્દેશ કર્યો હતો કે જો કોંગ્રેસમાંથી આવેલા તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ નાના પટોલેએ અચાનક રાજીનામું ન આપ્યું હોત, તો એમવીએ આગામી 15 વર્ષ સુધી સત્તામાં રહ્યું હોત.તેમાં ઉમેરાયું છે કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્ડિ ગઠબંધન પરના તેમના ભાષણમાં કહ્યું હતું કે બધા પક્ષો સમાન છે અને ઠાકરે અને પવાર બંને તેમની લડાઈમાં તેમને સમાન રીતે ટેકો આપી રહ્યા છે.જો રાજ્યમાં સત્તા પરિવર્તન થાય છે, તો કોંગ્રેસને પ્રાદેશિક સાથીઓના સહયોગથી તેનું નેતૃત્વ કરવાની તક મળશે, એમ શિવસેના (યુબીટી) એ જણાવ્યું હતું.