દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
હરિદ્વારમાં કાવડ યાત્રા દરમિયાન ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત
હરિદ્વારથી ગંગાજળ ભરી પરત ફરી રહેલા ચાર સગીર મિત્રો ગંગા સ્નાન દરમિયાન ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ચારેય મિત્રો ગંગા નહેરમાં ડૂબી ગયા હતા તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ચારે મિત્રો ચંદીગઢના રહેવાસી હતા.
દિલ્હીમાં અંક્તિ શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને આજીવન કેદની સજા
દિલ્હી રમખાણોમાં આઇબી અધિકારી અંક્તિ શર્મા હત્યા કેસમાં કોર્ટે તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસના ચુકાદા દરમિયન કરકરડૂમા કોર્ટે નોંધ્યું હતું કે આ હત્યા કરવાની પદ્ધતિ અત્યંત ક્રૂર છે.
રામ મંદિર દાન ચોરી મુદ્દે સંસદ પરિસરમાં પપ્પુ યાદવના પ્રદર્શનથી સંત સમાજમાં આક્રોશ
રામ મંદિર દાન ચોરી મુદ્દે સંસદ પરિસરમાં સાધુના વેશમાં પપ્પુ યાદવે કરેલા પ્રદર્શન અંગે સંત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે હનુમાનગઢીના મહંત રાજુ દાસે તેને સંત સમાજ અને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું.
6 કલાકમાં ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી બપોરના 12 કલાક દરમિયાન સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વસોમાં 6.38 ઇંચ, બોરસદમાં 6.26 ઇંચ, નડીયાદમાં 5.94 ઇંચ, ખંભાતમાં 5.79 ઇંચ, સાગબારામાં 5.67 ઇંચ, ગરુડેશ્વરમાં 5.67 ઇંચ, આણંદમાં 5.59 ઇંચ, પેટલાદમાં 5.59 ઇંચ, તિલકવાડામાં 4.65 ઇંચ વરસાદ વરસ્યો છે.
અતિભારે વરસાદની આગાહીના પગલે આજે અને આવતીકાલે પાવાગઢનો પ્રવાસ ટાળવા અપીલ
અતિભારે વરસાદની આગાહીને લઈ ધ્યાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ભાવિક ભક્તોને આજે અને આવતીકાલે પાવાગઢ પ્રવાસ ટાળવા અપીલ કરી છે. ભારે વરસાદમાં પગપાળા માર્ગ જોખમી બનવાની ચેતવણી છે. ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા ટ્રસ્ટે આ અપીલ કરી છે.