Tue Jul 07 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:06 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-06 08:12:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-06 22:01:34

રામ મંદિરમાંથી આભૂષણ ચોરીના આક્ષેપ ટ્રસ્ટે નકાર્યા, કહ્યું તમામ વસ્તુઓ સુરક્ષિત

અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસની તપાસ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન મંદિરમાંથી આભૂષણ ચોરીના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેનો શ્રી રામ મંદિર  ટ્રસ્ટે જવાબ આપ્યો છે. આ અંગે શ્રી રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ દાનમાં મળેલા દાગીના અને કિંમતી ધાતુઓની ચોરી અંગેના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમજ કહ્યું છે કે  2,800 વસ્તુઓ અને તેમના રેકોર્ડ સુરક્ષિત છે.

2026-07-06 21:21:59

કર્ણાટકના મંદિરમાંથી 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત 60 કિલો ચાંદીની વસ્તુઓની ચોરી

દેશમાં રામમંદિર દાન ચોરી કેસની તપાસ વચ્ચે કર્ણાટકના શ્રી પાવડા બસવેશ્વર મંદિરના ગર્ભગૃહમાંથી 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત  60 કિલોથી વધુ વજનની ચાંદીની વસ્તુઓની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.

2026-07-06 19:56:15

નૈનિતાલમાં દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ, 52 પુરુષો અને 10 મહિલાઓની ધરપકડ

ઉત્તરાખંડના નૈનિતાલના એક્રોન રિસોર્ટમાં દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ થયો છે.  જેમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડીને  52 પુરુષો અને 10 મહિલાઓની ધરપકડ કરી છે.

2026-07-06 19:21:25

રામમંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયના બચાવમાં આવ્યું વીએચપી

અયોધ્યાના રામમંદિર દાન ચોરી કેસમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જેની બાદ હવે વિશ્વ હિંદુ પરિષદ ચંપત રાયના બચાવમાં આવી છે. તેમજ કહ્યું છે કે માત્ર આરોપ લગાવવાથી કોઇ દોષ પુરવાર નથી થતાં.

2026-07-06 18:17:03

પશ્ચિમ બંગાળની શાળાઓમાં શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને ભણાવાશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં આગામી શૈક્ષણિક સત્રથી શાળાના પાઠ્યપુસ્તકોમાં શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને ભણાવવાનો નિર્ણય લીધો છે.

2026-07-06 16:42:09

મુંબઈમાં વિદેશી જહાજ ફસાયું

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ગોરાઈ-મનોર બીચ નજીક દરિયામાં એક વિદેશી જહાજ ફસાયા પછી કોસ્ટ ગાર્ડ એલર્ટ બની ગયું હતું. માહિતી મળ્યા પછી કોસ્ટ ગાર્ડ અને પોલીસ સાથે ભારતીય નૌકાદળના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સંદીગ્ધ ગતિવિધિ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

2026-07-06 16:30:47

ચૂંટણી પંચે ચાર રાજ્ય માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી, 22 લાખ લોકોના નામ દૂર

દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR)\ હેઠળ ચૂંટણી પંચે ચાર રાજ્ય માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે જેમાં ઓડિશા, મણિપુર, મિઝોરમ અને સિક્કિમમાં 22 લાખથી વધુ વ્યક્તિઓના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

2026-07-06 15:50:37

રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસનું નિવેદન, કહ્યું તમામ આરોપીઓને કડક સજા આપો

અયોધ્યાના રામમંદિર ચોરી કેસની એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ જ મુદ્દે આજે ટ્રસ્ટની બેઠક  યોજાવાની છે. જોકે, આ બેઠક પૂર્વે રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું કેસમાં તમામ આરોપીઓને કડક સજા આપવામાં આવે. આ મુદ્દો કરોડો હિંદુઓની આસ્થા સાથે જોડાયેલા છે.

2026-07-06 15:12:37

દેશમાં ગેરકાયદે કોલ માઈનિંગ અને ચોરીના કેસો અંગે સરકાર સતર્ક

દેશમાં વધી રહેલા ગેરકાયદે કોલ માઈનિંગ અને ચોરીના કેસો પર નિયંત્રણ  માટે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. આ અંગે દિલ્હીમાં કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

2026-07-06 14:51:53

ફડણવીસે બેઠક બોલાવી

મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત વિવિધ જિલ્લામાં ભારે વરસાદ અને પૂર પછી રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રુમમાં એક બેઠક બોલાવી હતી. રાહત અને બચાવ કામગીરી માટે ફડણવીસે તમામ જરુરી પગલા ભરવાનો અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

2026-07-06 14:39:54

ભૂસ્ખલનને કારણે પુણેમાં એકનું મોત

પુણે જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પાટન ગાંમમાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે હજુ બે-ત્રણ લોકો ફસાયા છે. રાહત અને બચાવ કામગીરી વચ્ચે પણ 23 લોકોને બચાવ્યા છે.

2026-07-06 14:06:46

માછીમારોને 9 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના

ભારતીય હવામાન વિભાગે દરિયામાં સર્જાયેલા કરંટને ધ્યાને રાખીને, રાજ્યના તમામ માછીમારોને 9 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. આવતીકાલે પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર યથાવત રહેશે.

2026-07-06 13:36:40

રાજ્યમાં NDRF અને SDRFની કેટલી ટીમો તૈનાત

રાજ્યમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ કામગીરી હેઠળ NDRFની 10 અને SDRFની 25 ટીમો મળીને કુલ 35 ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે. આ ઉપરાંત, તાકીદની જરૂરિયાત માટે NDRFની 4 અને SDRFની 8 ટીમોને હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.

2026-07-06 12:08:15

પશ્ચિમ બંગાળની 3 રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ત્રણ રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠકો પર 24 જુલાઈ 2026ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે.

2026-07-06 11:07:34

આજી-2 ડેમના બે દરવાજા ખોલાયા: નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના

વરસાદને કારણે પાણીની આવક વધતા રાજકોટ તાલુકાના આજી-2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે, ડેમના બે દરવાજા  ૦.૦૭૬૨ મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.

2026-07-06 10:39:50

2 કલાકથી દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડના ધરમપુરમાં 0.47 ઇંચ, કપરાડામાં 0.31 ઇંચ, સુબીરમાં 0.20 ઇંચ, ઓલપાડમાં 0.16 ઇંચ, ચોર્યાસીમાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે.

2026-07-06 10:02:18

પરાજય બાદ બ્રાઝિલના ફૂટબોલર નેમારની ઓચિંતી નિવૃત્તિ

ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપની પ્રી-કવૉર્ટર ફાઈનલમાં નોર્વે સામે બ્રાઝિલનો 1-2થી પરાજય થયો અને ત્યાર બાદ થોડી જ વારમાં બ્રાઝિલના સુપરસ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. એ સાથે, 34 વર્ષીય નેમારની 16 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત આવી ગયો છે.

2026-07-06 08:33:20

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગગરના આંકડા મુજબ, સવારે 6 થી 8ના સમયગાળામાં મેંદરડામાં 0.08 ઇંચ, કામરેજમાં 0.08 ઇંચ, વઘઈમાં 0.08 ઇંચ, ડાંગમાં 0.04 ઇંચ, ગણદેવીમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.

2026-07-06 08:13:23

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં અમરેલીના રાજુલામાં સર્વાધિક 10.79 ઇંચ વરસાદ વરસ્યો છ. ધારીમાં 9.21 ઇંચ, ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે.