નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) એ ઈરાનના સુપ્રીમ લીડર અલી હુસૈની ખામેનેઈની સૈન્ય હુમલામાં કરવામાં આવેલી હત્યાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ ઘટનાને યુદ્ધની ઔપચારિક જાહેરાત વગર કરવામાં આવેલી ટાર્ગેટેડ હત્યા ગણાવી છે. પક્ષે ઈરાનના લોકો, સુપ્રીમ લીડરના પરિવાર અને વિશ્વભરના શિયા સમુદાય પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને આ કટોકટીના સમયે તેમની સાથે એકતા પ્રદર્શિત કરી છે.
કોંગ્રેસે ભારતીય વિદેશ નીતિના મૂળભૂત સિદ્ધાંતોને યાદ અપાવતા જણાવ્યું કે, ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન અને શાંતિપૂર્ણ રીતે વિવાદોના ઉકેલ માટે પ્રતિબદ્ધ રહ્યું છે. નિવેદનમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયાનો આ સંઘર્ષ ભારતના પાયાના મૂલ્યો જેવા કે 'વસુધૈવ કુટુંબકમ', મહાત્મા ગાંધીનો અહિંસાનો સિદ્ધાંત અને પંડિત નેહરુની બિન-જોડાણવાદી નીતિથી વિપરીત છે. કોઈપણ સાર્વભૌમ રાષ્ટ્રના નેતૃત્વ અને શાસન વ્યવસ્થાને અસ્થિર કરવા માટે બળનો પ્રયોગ કરવો એ ચિંતાજનક બાબત છે.
The Indian National Congress (INC) unequivocally condemns the targeted assassination of Iran's Supreme Leader, Ali Hosseini Khamenei, in a military strike carried out without a formal declaration of war. The INC extends its deepest condolences to the Supreme Leader's family, to… pic.twitter.com/CSQAbds3tS
— Mallikarjun Kharge (@kharge) March 1, 2026
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે આવી કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ 2(4) અને 2(7) નું ઉલ્લંઘન કરે છે, જે કોઈપણ રાજ્યની પ્રાદેશિક અખંડિતતા કે આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ કરે છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે કોઈપણ રાષ્ટ્રના નાગરિકોને તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરવાનો અબાધિત અધિકાર છે અને કોઈ પણ બાહ્ય શક્તિને સત્તા પરિવર્તન કરવાનો અધિકાર નથી. પક્ષે આવી ગતિવિધિઓને સામ્રાજ્યવાદ ગણાવીને આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થા માટે તેને જોખમી ગણાવી છે.
વિશ્વયુદ્ધનું અન્ય એક મહત્વનું પાસું વિશ્વનું બે વિરોધી જૂથોમાં વહેંચાઈ જવું છે, જેમ કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં એલાઈડ અને એક્સિસ પાવર્સ હતા. જ્યારે દેશો પોતાના વ્યૂહાત્મક હિતો અને સહયોગીઓની રક્ષા માટે સૈન્ય ગઠબંધન બનાવીને મેદાનમાં ઉતરે છે, ત્યારે તે વૈશ્વિક ટકરાવ બની જાય છે. જોકે, ઈરાનના વર્તમાન સંઘર્ષમાં અનેક દેશો અને તેલના હિતો જોડાયેલા હોવા છતાં, નિષ્ણાતો હાલમાં તેને પ્રાદેશિક યુદ્ધની શ્રેણીમાં જ ગણી રહ્યા છે, કારણ કે હજુ સુધી મહાસત્તાઓ વચ્ચેનો સીધો આમને-સામનેનો જંગ વ્યાપક બન્યો નથી.