Wed Jun 10 2026

Logo

રાજ્યસભામાં જતા શરદ પવારે આપી ઉદ્ધવ ઠાકરેને ખાતરી

2026-04-04 19:48:04
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહાવિકાસ આઘાડીના તમામ પક્ષોએ મને રાજ્યસભામાં મોકલવા માટે સહકાર આપ્યો. હવે જ્યારે ઉદ્ધવ ઠાકરે વિધાન પરિષદ માટે નામ લાવશે, ત્યારે અમે તેને સહકાર આપીશું. અમે તેને ટેકો આપીશું, એમ શરદ પવારે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડીએ મને રાજ્યસભામાં મોકલવા માટે સહયોગ આપ્યો. ભવિષ્યમાં, ઠાકરે વિધાન પરિષદ દરમિયાન જે પણ ઉમેદવાર આપશે તેને અમે ટેકો આપીશું, એમ શરદ પવારે કહ્યું હતું.  

હવે જોવાનું એ રહે છે કે ઉદ્ધવ ઠાકરે વિધાન પરિષદ માટે કોને તક આપશે? તેઓ પોતે ફરીથી ગૃહમાં જશે કે નહીં તે હજુ નક્કી નથી. રાજ્યસભા માટે શરદ પવારનો શપથવિધિ સમારોહ છઠી એપ્રિલે છે. હાલમાં, મહારાષ્ટ્રમાં બે વિધાનસભા પેટાચૂંટણીઓ, બારામતી અને રાહુરીની ચર્ચા ચાલી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઇચ્છે છે કે બારામતી વિધાનસભા પેટાચૂંટણી બિનહરીફ થાય. આ માટે, તેમણે તમામ પક્ષોને સહયોગ આપવા અપીલ કરી છે. અજિત પવારના અકાળ અવસાનને કારણે બારામતી વિધાનસભા પેટાચૂંટણી યોજાશે. નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવાર રહેશે.