Thu Jun 18 2026

Logo

શું ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં પાકિસ્તાન ઝંપલાવશે? પાક વિદેશ પ્રધાને શું કહ્યું?

islamabad   2026-03-04 22:12:48
Author: Vimal Prajapati
Article Image

Pakistan Foreign Minister Ishaq Dar


ઇસ્લામાબાદઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ મધ્યપૂર્વમાં તો અસર દેખાડી રહ્યું છે. પરંતુ હવે આ યુદ્ધની અસર દક્ષિણ એશિયામાં પણ વર્તાવવા લાગી છે. ખાસ કરીને વાત કરવામાં પોતાની નાપાક હરકતો માટે જાણીતું પાકિસ્તાન પણ હવે આ યુદ્ધમાં સામેલ થશે તેવાં એંધાર્ણ છે. પાકિસ્તાન દ્વારા પહેલી વખત એવો સંકેત આપવામાં આવ્યો છે કે, ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં સામેલ થઈ શકે છે. આખરે શા માટે પાકિસ્તાન આ યુદ્ધમાં સામેલ થવા માંગે છે? શું આ કોઈ પાકિસ્તાનની ચાલ છે કે પછી મજબૂરીના કારણે આ યુદ્ધમાં પોતાનું નુકસાન કરવા માટે જઈ રહ્યું છે. 

દ્વિપક્ષીય સંરક્ષણ કરાર પાકિસ્તાની મુશ્કેલી વધારશે

આનું મુખ્ય કારણ સાઉદી અરેબિયા સાથે થયેલો દ્વિપક્ષીય સંરક્ષણ કરાર છે. જી હા, થાડા સમય પહેલા સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે એક સંરક્ષણ કરાર થયો હતો. જેમાં કોઈ પણ એક દેશ પર થયેલો હુમલો બંને દેશો પર થયેલા હુમલા સમાન ગણાશે અને બંને દેશો સાથે મળીને તેનો જવાબ આપશે તેવો કરાર કરવામાં આવ્યો હતો. જેથી પાકિસ્તાને હવે મજબૂરીમાં સાઉદી અરેબિયાનો સાથ આપવો પડી શકે છે. 

પાકિસ્તાની વિદેશ પ્રધાને ઈરાનને ધમકી આપી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે તેમના ઇરાની સમકક્ષને સાઉદી અરેબિયા પર મિસાઇલ કે ડ્રોન હુમલા ન કરવા સ્પષ્ટ ચેતવણી આપી છે. વધુમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારના કહ્યા પ્રમાણે સાઉદી અરેબિયા સાથે તેમનો સંરક્ષણ કરાર હોવાનું કહીને ઈરાનને ધમકી આપી છે. ડારનો દાવો છે કે પાકિસ્તાન સાથેના સંરક્ષણ કરારને કારણે સાઉદી અરેબિયા પર હુમલા ઓછા થયા છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈરાને પણ એક શરત રાખી છે કે, સાઉદીની જમીનનો ઉપયોગ તેની વિરુદ્ધ ન થવો જોઈએ. બાકી ઈરાન સાઉદી પર પણ હુમલો કરશે. તેવામાં હવે પાકિસ્તાન મેદાને આવ્યું છે. મધ્યપૂર્વના વિવાદમાં પાકિસ્તાન હવે કૂદવા માંગે છે. જે તેના માટે મોંઘુ સાબિત થઈ શકે તેમ છે.