નવી દિલ્હીઃ AIના બેફામ ઉપયોગને ગંભીરતાથી લઈને ડીપફેક પર બ્રેક મારવા માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. આ વિષયક એક વિશેષ કાયદો તૈયાર કરવામાં આવી શકે છે. ભાજપના સાંસદ બૈજયંત પાંડાએ લોકસભામાં 'AIના દુરુપયોગથી વ્યક્તિત્વ સમાનતાનું રક્ષણ બિલ, 2026' માટે એક પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવનાર બિલોની યાદીમાં મૂકી દીધો છે. આ કાયદાનો ઉદ્દેશ્ય AI ને લગતા દુરુપયોગ સામે વ્યક્તિઓની ઓળખ, પ્રતિષ્ઠા અને ગૌરવનું રક્ષણ કરવાનો છે.
મૂંઝવણને રોકવાનો પ્રયાસ
આ બિલ વ્યક્તિના ચહેરા, અવાજ, શારીરિક દેખાવ અથવા અન્ય ઓળખી શકાય તેવી લાક્ષણિકતાઓનું વાસ્તવિક અનુકરણ જે AI ની મદદથી બનાવવામાં આવે છે - તેને 'AI-જનરેટેડ ઈમિટેશન' તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે વ્યક્તિના AI-જનરેટેડ ફોટો અથવા વિડિયોને તેમની સંમતિ વિના બનાવવા, પ્રકાશન, પ્રસારિત કરવા અથવા ઉપલબ્ધ કરાવવા પર પ્રતિબંધ મૂકે છે. બિલ એવી સામગ્રી પર પ્રતિબંધ મૂકે છે, જે લોકોને ગેરમાર્ગે દોરે છે કે કોઈ વ્યક્તિ પ્રત્યે નિવેદન આપે છે, સમર્થન આપે છે અથવા કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે જ્યારે વાસ્તવમાં આવું કંઈ થયું નથી.
ટૂંકમાં જે વસ્તુ છે જ નહીં અને શક્ય નથી એને એઆઈ શક્ય કરીને બતાવે છે તો એ ખોટું છે. આ કાયદા હેઠળ, જો AI દ્વારા કોઈ વ્યક્તિની સમાનતાનો ઉપયોગ કાયદાકીય દાયરામાં આવે છે, તો તે સ્પષ્ટપણે જાહેર કરવું આવશ્યક છે કે સામગ્રી AI-જનરેટેડ છે. તેનો ઉદ્દેશ્ય જાહેર મૂંઝવણને રોકવાનો છે. ખાસ કરીન જ્યારે એઆઈ દ્વારા તૈયાર કરેલા જે તે પાત્રને લઈને વાત કરવામાં આવે છે ત્યારે ખરી મુંઝવણ ઊભી થાય છે.
કેટલીક છૂટછાટ
AI-જનરેટેડ એડિશનના ઉપયોગ અંગે વિવાદની સ્થિતિમાં, માન્ય સંમતિ સાબિત કરવાનો બોજ તે વ્યક્તિ અથવા એન્ટિટી પર રહે છે જેણે સામગ્રી બનાવી, પ્રકાશિત કરી અથવા પ્રસારિત કરી.આ બિલમાં મૃતક વ્યક્તિની પર્સનાલિટી લાયસન્યને સુરક્ષા પ્રસ્તાવ આપવાની પણ વાત છે. આ અંતર્ગત વ્યક્તિના મોત બાદ 10 વર્ષ સુધી લાયસન્સના ઉપયોગ પર તે કાયદો લાગુ રહી શકે છે. આનો કોઈ ઉપયોગ કરવા માગે છે તો વ્યક્તિગત રીતે રહેલા મંજૂરી લેવી અનિવાર્ય છે. સમાચાર રિપોર્ટિંગ, જાહેર બાબતો અને જાહેર હિત સંબંધિત તથ્યોના આધારે ઉપયોગો માટે છૂટ આપવામાં આવી છે, જો કે જનતાને ગેરમાર્ગે દોરવાના હેતુથી AI-જનરેટેડ સામગ્રીનો ઉપયોગ કરવામાં ન આવે.
સજાની પણ જોગવાઈ
પેરોડી, વ્યંગ અને વ્યંગચિત્રને કાયદાના અવકાશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જે ચોક્કસ શરતોને આધીન છે.આ સિવાય આ બિલમાં સોશિયલ મીડિયાની જવાબદારી પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. એઆઈના ઉપયોગથી કોઈ ગેરમાર્ગે દોરવા માગે છે તો નોટીસ મળ્યાના 24 કલાકમાં જ એ સામગ્રીને પ્લેટફોર્મ પરથી ડિલિટ મારવી પડશે. આ સિવાય કેટલાક ગંભીર કિસ્સામાં સજાની જોગવાઈ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ત્રણ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો આર્થિક દંડ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. અશ્લીલ કોન્ટેટ ઉપર પણ એઆઈ જે નિયમો લાગુ પડે છે એ જ લાગુ પડશે.