અમરેલીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે અમરેલીમાં વિજય વિશ્વાસ સભાને સંબોધન કર્યું હતું. જેમાં કેજરીવાલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ ધારાસભ્યના સંબંધીઓ, માનીતાઓ ટિકિટ લઈને ધારાસભ્યો બને છે.
AAP સત્તામાં આવશે તો મહિલાઓને મળશે માસિક ₹1000
અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે આ જનસભામાં સંબોધન કરતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 48 સીટોમાંથી જનતાએ ભાજપને 40 સીટો આપીને ભરપૂર પ્રેમ આપ્યો, પરંતુ બદલામાં ભાજપ જનતાને દંડા મારી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના એકાઉન્ટમાં દર મહિને 1-1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે. પંજાબની જેમ જ અહીં પણ પરિવારના તમામ સભ્યોને આર્થિક લાભ મળશે.
ભાજપે 30 વર્ષમાં માત્ર લૂંટ મચાવીઃ કેજરીવાલ
ભ્રષ્ટાચારના મુદ્દે તેમણે કહ્યું હતું કે, ભાજપે 30 વર્ષમાં માત્ર લૂંટ મચાવી છે, રસ્તા અને પુલ ટૂંક સમયમાં જ તૂટી જાય છે. ખેડૂતોને સહાયના નામે જાહેર કરાયેલા 10 હજાર કરોડ રૂપિયા ક્યાં ગયા તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. ગુજરાતની જનતાને ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચાર અને કુશાસનથી મુક્ત કરાવવા હું સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર ભગવાનના આશીર્વાદ લેવા આવ્યો છું.
ગુજરાતમાં સંબંધીઓને જ ટિકિટ મળે છેઃ કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ખેડૂતનો દિકરો મુખ્ય પ્રધાન છે. 117માંથી અમારા 96 ધારાસભ્યો છે. તેમાંથી 80થી વધારે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. અહીંયા ધારાસભ્યનો દિકરો ધારાસભ્ય, ધારાસભ્યની પત્ની પણ ધારાસભ્ય, ધારાસભ્યનો બાપ પણ ધારાસભ્ય છે. ગુજરાતમાં ભાજપ ધારાસભ્યના સંબંધીઓ, માનીતાઓ ટિકિટ જ મળે છે. શું તમારા દિકરાઓને ટિકિટ આપે છે? આમ આદમી પાર્ટી તમારા દિકરાઓને ટિકિટ આપે છે, તમારી સરકાર બનાવે છે. સામાન્ય લોકોના મુદ્દે ઉઠાવે છે.
પંજાબમાં આમ જનતાની સરકાર છે, ત્યાં પ્રથમ વખત સામાન્ય પરિવારના બાળકો ધારાસભ્ય બન્યા છે.
— AAP Gujarat (@AAPGujarat) March 25, 2026
ગુજરાતમાં ભાજપ ધારાસભ્યના સંબંધીઓ, માનીતાઓ ટિકિટ લઈને ધારાસભ્યો બને છે.@ArvindKejriwal#વિજય_વિશ્વાસ_સભા pic.twitter.com/8KC9QHrYK3
ભાજપ અને કોંગ્રેસ માત્ર લોકોને લડાવવાનું કામ કરે છેઃ ભગવંત માન
પંજાબના મુખ્ય પ્રધાનભગવંત માને જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ માત્ર લોકોને લડાવવાનું કામ કરે છે, જ્યારે આમ આદમી પાર્ટી બાળકોને ભણાવવા અને ખેડૂતોની સમસ્યા દૂર કરવા આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશની હાલત અત્યારે ખરાબ છે અને પેટ્રોલ પંપો પર લાઈનો લાગી રહી છે.
અમરેલી
— AAP Gujarat (@AAPGujarat) March 25, 2026
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી @BhagwantMann સહિત AAP ગુજરાત પ્રદેશ નેતૃત્વની વિશેષ ઉપસ્થિતિમાં આજે અમરેલી ખાતે વિશાળ "વિજય વિશ્વાસ સભા" યોજાઈ.
આ સભામાં સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને… pic.twitter.com/A78EuWnQQM