લખનઉ: ઉત્તર પ્રદેશમાં કોડિન યુક્ત કફ સિરપની દાણચોરી કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નંદગ્રામ પોલીસે કોડીન કફ સિરપની દાણચોરીમાંથી કમાયેલી રૂપિયા 12.55 કરોડની સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરી છે. ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર 3 અને 4 નવેમ્બર 2025 ના રોજ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એક ગુપ્ત માહિતીના આધારે. તપાસ દરમિયાન, ચાર ટ્રકમાં છુપાવેલી 1,15,73,500 કોડીન ધરાવતી કફ સિરપની બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે રૂપિયા 30 કરોડ છે.
કોડિન યુક્ત કફ સિરપની દાણચોરી કરતા
પોલીસના જણાવ્યા અનુસાર આ ઉપરાંત એક કાર, એક ટ્રક, રૂપિયા 20 લાખ રોકડા, 2 લેપટોપ, 10 આઇફોન, 4 મોબાઇલ સિમ કાર્ડ અને ટેપેન્ટાડોલ એક્સટેન્ડેડ રિલીઝ ટેબ્લેટની 19 સ્ટ્રીપ્સ સહિત અનેક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિભોર રાણા અને વિશાલ સિંહ, તેમના સહયોગી અભિષેક શર્મા અને પવન યાદવ સાથે મળીને કોડિન યુક્ત કફ સિરપની દાણચોરી કરતા હતા.
પરિવારના નામે કરોડોની મિલકતો ખરીદી હતી
આ આરોપીઓએ આ ગેરકાયદે વેપાર માટે ઘણી કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. જેમાં સહારનપુરમાં નોંધાયેલ GR ટ્રેડિંગ કંપની અને દિલ્હી-NCRમાં અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ 2020-21 અને 2025-26 વચ્ચે આશરે રૂપિયા 9.08 કરોડની ગેરકાયદેસર આવક એકઠી કરી હતી, જેનો ઉપયોગ કરીને તેમણે પોતાના અને પરિવારના નામે કરોડોની મિલકતો ખરીદી હતી. તપાસ દરમિયાન, રૂપિયા 22,67,34,087 ની જંગમ અને સ્થાવર સંપત્તિ મળી આવી હતી. જેમાંથી રૂપિયા 13,58,48,005 ગેરકાયદે આવકથી ખરીદવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
12.55 કરોડની સંપત્તિઓ જપ્ત કરી
આ આધારે, પોલીસે આરોપીઓ અને તેમના પરિવારના સભ્યોના નામે ખરીદેલી રૂપિયા 12.55 કરોડની સંપત્તિઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં શાસ્ત્રી નગર, પટનાપુર, રામનગર અને સહારનપુરના અન્ય વિસ્તારોમાં સ્થિત અનેક પ્લોટ, મકાનો અને ખેતીની જમીનનો સમાવેશ થાય છે.