થાણે: ભાજપના કોર્પોરેટર મનોહર ડુંબરેએ શુક્રવારે જણાવ્યું હતું કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઘોડબંદર રોડ વિસ્તારમાં બાંધકામ પરવાનગી આપવાનું બંધ કરવું જોઈએ કારણ કે આ વિસ્તારના રહેવાસીઓ પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે.
થાણે મ્યુનિસિપલ ચીફ સૌરભ રાવને લખેલા પત્રમાં, કોર્પોરેટરે જણાવ્યું હતું કે આ મુદ્દો જાહેર હિત તરફ દોરી શકે છે કારણ કે માજીવાડા-માનપાડા વોર્ડનો ભાગ, શહેરમાં સૌથી વધુ મિલકત કર વસૂલ કરી આપે છે.
‘ઉનાળાની ટોચ પહેલા જ આ વિસ્તાર પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યો છે. દરેક ઇમારતના નાગરિકોને ટેન્કરનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે, મોટા સંકુલના માસિક બિલ લાખો રૂપિયા સુધી પહોંચે છે. નવા ખરીદદારોની વધુ છેતરપિંડી અટકાવવા અને હાલના રહેવાસીઓને પાણીનો વાજબી હિસ્સો મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે,’ એમ ડુંબરેએ પત્રમાં જણાવ્યું હતું.