Wed Jun 17 2026

Logo

મહાશિવરાત્રીએ શુભ મુહૂર્ત નક્કી કરાયું, બાબા કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે

2026-02-15 16:14:34
Author: Chandrakant Kanojia
Article Image

દહેરાદૂન : મહાશિવરાત્રીના અવસરે બાબા કેદારનાથના શિયાળુ સ્થાન ઓમકારેશ્વર મંદિરમાં પરંપરાગત પ્રાર્થના પછી પંચાંગનો ઉપયોગ કરીને કપાટ ખોલવાનો શુભ મુહૂર્ત નક્કી કરાયું કરવામાં આવ્યું છે. આ શુભ સમય અનુસાર  કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે. ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત  કેદારનાથ મંદિરના દરવાજા શિયાળાની ઋતુ દરમિયાન લગભગ છ મહિના બંધ રહ્યા હતા.

 આ અંગે  શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના જનસંપર્ક અધિકારી ડૉ. હરીશ ગૌરે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના શુભ પ્રસંગે  રવિવારે બાબા કેદારના શિયાળુ સ્થાન ઓમકારેશ્વર મંદિરમાં પરંપરાગત પૂજા પછી  પૂજારીઓ અને  વેદ વાચકોએ પંચાંગની ગણતરી કરી અને કપાટ  ખોલવાનો શુભ સમય નક્કી કરવામાં  આવ્યો છે.  

બદ્રીનાથ ધામના કપાટ  23 એપ્રિલે  ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ  19 એપ્રિલે ખોલવામાં આવશે 

તેમણે કહ્યું કે બાર જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ મંદિરના કપાટ  આ વર્ષે 22 એપ્રિલે વૃષભ લગ્ન દરમિયાન સવારે 8 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. ઓમકારેશ્વર મંદિરને આજે આશરે સાડા નવ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તોએ દર્શન કર્યા અને 'જય બાબા કેદાર' ના નારા લગાવ્યા અને  ભંડારા માં પ્રસાદ લીધો. કેદારનાથ મંદિરના કપાટ  ખોલવાના શુભ સમય સાથે  ગઢવાલ હિમાલયના ચાર ધામોની તારીખો પણ નક્કી કરવામાં આવી છે. બદ્રીનાથ ધામના કપાટ  23 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવશે, જ્યારે ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટ  19 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે ખોલવામાં આવશે.

બરફ દૂર કરવાની પ્રક્રિયા તેજ 

ચાર ધામના કપાટ  ખોલવાની સત્તાવાર જાહેરાત સાથે  વહીવટીતંત્ર અને મંદિર સમિતિએ યાત્રા માર્ગ પરથી બરફ દૂર કરવા અને નાગરિક સુવિધાઓ પુનઃસ્થાપિત કરવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. ભારત અને વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે રહેવા, આરોગ્ય અને સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.