Sun Jul 26 2026

Logo

કર્ણાટકના મંદિરમાંથી 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત 60 કિલો ચાંદીના આભૂષણો ની ચોરી

2026-07-06 22:24:33
Author: Chandrakant Kanoja
Article Image

બસવેશ્વર : દેશમાં રામમંદિર દાન ચોરી કેસની તપાસ વચ્ચે કર્ણાટકના શ્રી પાવડા બસવેશ્વર મંદિરના ગર્ભગૃહમાંથી 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત  60 કિલોથી વધુ વજનની ચાંદીની વસ્તુઓની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. 

એકલી મૂર્તિની કિંમત આશરે ₹51.20 લાખ 

આ અંગે મળતી માહિતી મુજબ કર્ણાટકના વિજયપુરા જિલ્લાના મુદ્દેબિહાલ તાલુકાના બસરાકોડ ગામમાં આવેલા  શ્રી પાવડા બસવેશ્વર મૂર્તિની ચોરી 5-6 જુલાઈની રાત્રે થઈ હતી. જેમાં એકલી મૂર્તિની કિંમત આશરે ₹51.20 લાખ આંકવામાં આવી છે. જ્યારે ચોરાયેલા ચાંદીના આભૂષણોની કુલ બજાર કિંમત ₹1.20 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. આ ભગવાન બસવેશ્વરને સમર્પિત એક મહત્વપૂર્ણ  મંદિર છે.

આ અંગે 70 વર્ષીય કરનડપ્પા બિરદાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ   મુજબ  ચોરીની જાણ સવારે 4 વાગ્યાની આસપાસ થઈ જ્યારે નિવાસી પૂજારી સાધુ શંકરલિંગે જોયું કે મંદિરના દરવાજા ખુલ્લા હતા અને તાળા તૂટેલા હતા. 

ચોરી રાત્રે 9 વાગ્યાથી સવારે 4.30 વાગ્યાની વચ્ચે થઈ હતી

આ મૂર્તિ તેના આસન પરથી ગાયબ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે મંદિરના પૂજારી શરણય્ય સલીમથે 5  જુલાઈના રોજ રાત્રે 9 વાગ્યે સાંજની પ્રાર્થના કરી હતી અને બહાર જતા પહેલા અંદરના અને બહારના લોખંડના દરવાજા બંધ કરી દીધા હતા. એવું માનવામાં આવે છે કે ચોરી રાત્રે 9 વાગ્યાથી સવારે 4.30 વાગ્યાની વચ્ચે થઈ હતી.