અમદાવાદ: અમદાવાદમાં 16 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની મંદિર પરિસરમાં તડામાર તૈયારીમાં કરવામાં આવી રહી છે. જેમાં આ પૂર્વે મહત્વની એવી ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધી ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી. તેમજ ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી નિજ મંદિરે પરત ફર્યા છે.
મંદિર પરિસર" જય રણછોડ, માખણ ચોર" ના નારાઓથી ગુંજી ઉઠ્યું
આ પવિત્ર પ્રસંગે મંદિર પરિસર" જય રણછોડ, માખણ ચોર" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. પ્રભુના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વિધિમાં જોડાયા હતા અને પૂજા કરી હતી જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધજા ચઢાવી હતી.
પ્યારા નંદકિશોરનો ન્યારો નેત્રોત્સવ 🚩
— Harsh Sanghavi (@sanghaviharsh) July 14, 2026
અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક શ્રી જગન્નાથજી મંદિરમાં ભગવાનની ૧૪૯મી રથયાત્રા પૂર્વે યોજાયેલા પવિત્ર નેત્રોત્સવ વિધિ, ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા મહોત્સવ અને ધ્વજારોહણ પ્રસંગે રથયાત્રા મહોત્સવના મુખ્ય યજમાન અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી… pic.twitter.com/1XJ2YscJXT
ભગવાનના સોનાવેષમાં દર્શન કરાવવામાં આવશે
આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આજે ખૂબ જ આનંદ સાથે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધી કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરમાં આજે મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બુધવારે મંગળા આરતી થશે અને તેને પછી ભગવાનના સોનાવેષમાં દર્શન કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ત્રણેય રથને નીજ મંદિરમાં લાવી પૂજા કરવામાં આવશે.