ન્યૂયોર્કઃ ફીફા વર્લ્ડકપની ફાઈનલ મેચમાં રાજનીતિ અને અંધવિશ્વાસનો સંગમ જોવા મળે તો નવાઈ નહીં. ફિફા વર્લ્ડકપ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ન્યૂયોર્કના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે. ભારે રસાકસી વચ્ચે આ મેચ રમાશે. ફરીવાર ફૂટબોલ ટુર્નામેન્ટમાં એક મોટો ઈતિહાસ રચાશે. આ વખતેની મેચમાં જીયોપોલિટિક્સની એક અનોખી કહી શકાય એવી ઘટના બનવા જઈ રહી છે. આ સ્ટેડિયમમાં એક એવો મંચ જોવા મળશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એકબાજું મેદાનમાં ફિફા વર્લ્ડકપની ચકમતી ટ્રોફી માટે સ્પેન અને આર્જેન્ટિનાના ખેલાડીઓ આમને સામને હશે, 80 હજારથી વધારે દર્શકો આ મેચને લાઈવ જોતા હશે.
અલગ પ્રકારની મેચ
એ સમયે સ્ટેડિયમમાં આવેલા VIP બોક્સમાં એક અલગ પ્રકારની મેચ જોવા મળી શકે છે. આ મેચ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલન્ડ ટ્રમ્પને એક એવા નેતાની હોસ્પિટાલિટી કરવી પડશે જેને વૈશ્વિક મંચ પર તેના સૌથી મોટા ટિકાકાર માનવામાં આવે છે. બીજીબાજું નસીબનો ખેલ જોવો, ટ્રમ્પના સૌથી પાક્કા મિત્ર અને પ્રશંસકે આ ઐતિહાસિક મેચ પર ન્યૂયોર્ક આવવાની ના પાડી દીધી હતી. ફાઈનલ સુધીની મેચમાં સ્પેનનું પર્ફોમન્સ બેસ્ટ રહ્યું છે.
જેને લઈને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજ પોતાની ટીમને સમર્થન આપવા માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. એમની સાથે સ્પેનના રાજા ફિલિપ, રાણી લેતિજિયા અને તેની દીકરી પણ ખાસ હાજરી આપશે. પોલિટિક્સના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સ્થિતિ જોવાની પણ મજા આવશે, એક તરફ ડૉનાલ્ડ ટ્રમ્પ અને બીજી બાજું રાજવી ઠાઠ સાથે સ્પેનના વડા પ્રધાન વીઆઈપી બોક્સમાં બેઠા હશે. ટ્રમ્પ અને પેડ્રો સાંચેજ વચ્ચે અનેકવાર અનેક મુદ્દાઓ પર તણખા ઝરી ચૂક્યા છે.
મોટી અંધશ્રદ્ધામાં માન્યતા
એકંદરે, આ FIFA વર્લ્ડ કપની ફાઇનલ મેચ ફક્ત લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના અને સ્પેનની યુવા ટીમ વચ્ચેના મેદાન પર સ્પર્ધા જ નહીં, પણ VIP બોક્સમાં ટ્રમ્પ અને સાંચેજ વચ્ચેની મૌન રાજદ્વારીની કસોટી પણ હશે. વૈશ્વિક મીડિયાની નજર સાંચેજ અને ટ્રમ્પ વચ્ચેની કેમેસ્ટ્રી અને ફેસ એક્સપ્રેશન પર રહેશે. રમતગમતના સૌથી ભવ્ય મંચ પર રાજકારણ, મિત્રતા, દુશ્મનાવટ અને અંધશ્રદ્ધાનું આટલું મિશ્રણ ભાગ્યે જ જોવા મળ્યું છે.
આ અંધશ્રદ્ધા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિઓમાં લાંબા સમયથી અસ્તિત્વમાં છે. વર્ષ 1990 ના વર્લ્ડ કપ દરમિયાન, તત્કાલીન રાષ્ટ્રપતિ કાર્લોસ મેનેમ આર્જેન્ટિનાની ટીમનો ઉત્સાહ વધારવા ગયા હતા, પરંતુ ટીમ કેમરૂન સામે તેની પહેલી જ મેચ હારી ગઈ હતી. ત્યારથી, મેનેમને 'મુફા' (એક દુષ્ટ શુકન) તરીકે ઓળખવામાં આવવા લાગ્યા. ત્યારબાદ કોઈ પણ રાષ્ટ્રપતિ ટીમની રમત જોવા માટે સ્ટેડિયમની મુલાકાત લીધી નથી.
જેકેટની વાત રસપ્રદ
માઈલીની અંધશ્રદ્ધા ફક્ત ખુરશી પૂરતી મર્યાદિત નથી. તેમાં એક જેકેટ પણ શામેલ છે. સ્વિટ્ઝર્લૅન્ડ સામેની ક્વાર્ટર-ફાઇનલ મેચ દરમિયાન, તેણે એક તેલ કંપની (YPF) દ્વારા બ્રાન્ડેડ જાડું જેકેટ પહેર્યું હતું કારણ કે તે સમયે ઠંડી હતી અને તેણે હીટિંગ ચાલુ કર્યું ન હતું. માઈલીના શબ્દોમાં કહીએ તો, "મેચ દરમિયાન, જ્યારે મને થોડી ગરમી લાગી અને મેં જેકેટ ઉતાર્યું, ત્યારે વિરોધી ટીમે તરત જ અમારી સામે ગોલ કર્યો.
મેં વિલંબ કર્યા વિના જેકેટ પાછું પહેર્યું, અને ત્યારથી, મેં ક્યારેય મેચ દરમિયાન તેને ઉતાર્યું નથી." આવી પણ અંધશ્રદ્ધા મોટાકદના નેતાઓમાં પ્રવર્તી રહી છે. મિલેઈ માને છે કે ઘરેથી મેચ જોવી એ આર્જેન્ટિનાની ટીમ માટે લકી ચાર્મ સાબિત થઈ રહી છે. તેમણે અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાએ જીતેલી બધી સાત મેચો તેમના રાષ્ટ્રપતિ મહેલ (ઓલિવોસ નિવાસસ્થાન) માં એક ચોક્કસ ખુરશી પર બેસીને જોઈ છે.
આ વાતનો મોટો ડર
મિલેઈને ડર છે કે જો તે સ્ટેડિયમમાં જશે, તો આ અંધશ્રદ્ધા અથવા ધાર્મિક વિધિ તૂટી શકે છે, જેના કારણે ટીમ હારી શકે છે. મિલેઈએ સ્પષ્ટપણે કહ્યું, "કોઈપણ રીતે... હું કોઈપણ કિંમતે આ નિયમ બદલીશ નહીં. હું ઓલિવોસની બધી મેચો જોતો રહીશ. આ સ્ટેડિયમ ગેલેરીમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ખાલી રહેશે - આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મિલેઈ માટે અનામત.
પશ્ચિમી વિશ્વમાં, મિલેને ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી કટ્ટર પ્રશંસકો અને નજીકના મિત્રોમાંના એક માનવામાં આવે છે. જો તે હાજર હોત, તો ટ્રમ્પનો આનંદ જોવા જેવો હોત. જોકે, નેતાએ ન્યૂ યોર્ક આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આશ્ચર્યજનક રીતે તેમની ગેરહાજરીનું કારણ રાજદ્વારી વ્યસ્તતા નથી, પરંતુ આર્જેન્ટિનામાં cábalas તરીકે ઓળખાતી ઊંડા બેઠેલી અને વિચિત્ર ફૂટબોલ સંબંધિત અંધશ્રદ્ધા છે.
મનના મેદાનમાં અલગ રમત
સાંચેજ ટ્રમ્પની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરવા માટે જાણીતા છે. ભલે તે ઈરાન સાથે યુદ્ધની સંભાવના પર અમેરિકાના વલણની વાત હોય, ગાઝામાં ઇઝરાયલના લશ્કરી કાર્યવાહી માટે અમેરિકન સમર્થનનો વિરોધ હોય કે નાટો ખર્ચ અંગેના વિવાદોની વાત હોય, બંને નેતાઓ વારંવાર મૌખિક ઝઘડામાં વ્યસ્ત રહ્યા છે.
નાટો સમિટ દરમિયાન, ટ્રમ્પે સ્પેનને ગઠબંધનમાં "ભયંકર ભાગીદાર" ગણાવ્યું અને આર્થિક પ્રતિબંધોની ધમકી આપી કારણ કે સ્પેન તેના GDP ના 5% સંરક્ષણ બજેટમાં આપવા તૈયાર ન હતું. જોકે સાંચેજે પછીથી વાતચીત દ્વારા તણાવ ઓછો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની વચ્ચેનો તણાવ સંપૂર્ણપણે ઓગળ્યો નથી. આ કારણ હવે એક જ મંચ પર બે કદાવર નેતાઓ સાથે બેસીને મેચ જોશે પણ મનના મેદાનમાં કંઈક અલગ રમત રમાતી હોય તો નવાઈ નહીં.