Thu Aug 27 2026

Logo

સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા રાજકોટમાં રિહર્સલ

2025-12-02 21:57:42
Author: Pooja Shah
સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા રાજકોટમાં રિહર્સલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
રાજકોટમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સાતમી ડિસેમ્બરે શૉ થવાનો છે ત્યારે મંગળવારે અહીં રિહર્સલ કરવામાં આવ્યું હતું. સૂર્ટકિરણના છ વિમાન દ્વારા અટલ સરોવર ખાતે મિની રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલધડક કરતબો કર્યા હતા, જેથી મેઈન શૉનો ઉત્સાહ ઔર વધી ગયો હોવાનું લોકો જણાવી રહ્યા છે. 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ શૉના રિહર્સલમાં છ હૉક વિમાને એકસાથે ઉડાન ભરી હતી અને અલગ અલગ આકૃતિઓ બનાવવાની પ્રેક્ટિસ કરી હતી. આકાશમાં કરતબ બતાવવાના છે ત્યારે વાતાવરણનો અંદાજ મેળવવો જરૂરી હોય છે. રિહર્સલ દરમિયાન જ અટલ સરોવર ધમધમી ઉઠ્યું હતું. 

મુખ્ય કાર્યક્રમ સાતમી ડિસેમ્બરે રવિવારના દિવસે યોજાવાનો છે. સવારે 10 વાગ્યે અટલ સરોવર ખાતે 10 મિનિટ માટે ભારતીય વાયુસેનાના કરતબો લોકો નિહાળી શકશે. આ પહેલા ચ ડિસેમ્બરના રોજ એક ફાયનલ રિહર્સલ યોજવામાં આવશે.