Fri Apr 17 2026

Logo

નાશિકની ટીસીએસ કંપનીમાં ધર્માંતરણ અને લવ જેહાદના આરોપો: જાણો SIT તપાસ અને અત્યાર સુધીની હકીકત

2026-04-13 17:45:35
Author: Mumbai Samachar Team
Article Image

નાશિકઃ નાશિકમાં ટીસીએસ કંપનીમાં ફરિયાદ તરીકે શરૂ થયેલો વિવાદ હવે એક એવા કેસમાં ફેરવાઈ ગયો, જેણે રાષ્ટ્રીય સ્તરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ કેસ કોઈ નાની કંપનીનો નથી, પરંતુ જાણીતી આઈટી ટીસીએસ કંપનીનો BPO યુનિટનો છે. આ કેસમાં કંપનીના કર્મચારીઓના જાતીય શોષણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપો સામેલ છે, જેના કારણે પોલીસ તપાસ શરૂ થઈ છે અને રાજકીય નેતાઓ તરફથી આકરી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ મુદ્દો હવે વકરી રહ્યો છે. કંપનીની બહાર સવારથી સાંજ સુધી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેમ જ મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાયું છે.

આ મામલો આજકાલનો નથી. કેટલીક ફરિયાદો તો 2022ની છે. જોકે, આ વર્ષના માર્ચમાં એક મહિલાએ એક સહકર્મચારી પર લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવતા પરિસ્થિતિ વણસી ગઈ હતી. તે એક ફરિયાદ પછી તો ફરિયાદોનો મારો શરૂ થયો. ઘણા કર્મચારીઓ આગળ આવ્યા FIRમાં વધારો થયો, ધરપકડો થઈ, અને હવે મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કંપનીમાં વર્ષોથી થતા આરોપોની તપાસ કરી રહી છે.  

પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં નવ FIR નોંધવામાં આવી છે અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં શાહરુખ કુરેશી, શફી શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમણ, આસિફ અંસારી અને દાનિશ શેખનો સમાવેશ થાય છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. 

નાશિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકની દેખરેખ હેઠળ, એસીપી ક્રાઈમ સંદીપ મિટકના નેતૃત્વ હેઠળની વિશેષ તપાસ ટીમ આ કેસની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપોમાં જાતીય અત્યાચાર અને કાર્યસ્થળ પર ધાર્મિક દબાણના દાવાનો સમાવેશ થાય છે.

પોલીસે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે માર્ચ 2026માં પ્રથમ FIR દાખલ કરવામાં આવી હતી, અને ત્યાર બાદ વધુ ફરિયાદો નોંધાઈ હતી. પીડિતોએ પજવણી, બળજબરી અને ફરિયાદોને અવગણવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. ઘણી મહિલા કર્મચારીઓ અને એક પુરુષ સાથીદારે નાશિક શહેર પોલીસનો સંપર્ક સાધ્યો છે અને આરોપ લગાવ્યો છે કે વરિષ્ઠ કર્મચારીઓ, ખાસ કરીને ટીમ લીડ્સ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે.

ફરિયાદીઓએ વારંવાર અયોગ્ય સ્પર્શ, અશ્લીલ ટિપ્પણીઓ, છેડતી અને કેટલાક કિસ્સાઓમાં લગ્નના ખોટા વચનો આપીને શારીરિક સંબંધો બનાવવાનો આરોપ લગાવ્યો છે. પીડિતોએ એવું પણ જણાવ્યું હતું કે તેમના પર ધર્મ પરિવર્તન, નમાજ પઢવા અને મુસ્લિમ ધાર્મિક સમારોહમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

એક અલગ ફરિયાદમાં એક પુરુષ કર્મચારીએ દાવો કર્યો હતો કે તેને તેની ઇચ્છા વિરુદ્ધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ફરજ પાડવામાં આવી હતી. ઘણા ફરિયાદીઓએ આ મુદ્દો વરિષ્ઠ અધિકારીઓ અને HR વિભાગ સમક્ષ ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે HR હેડ નિદા ખાન પોતે આ ભયાનક ષડયંત્રમાં સામેલ હતી. તેને વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તેણે કોઈ કાર્યવાહી કરી નહોતી. નિદા ખાનનું નિવેદન 10 એપ્રિલ, 2026ના નોંધવામાં આવ્યું હતું.

અહેવાલ મુજબ કેટલાક કર્મચારીઓએ કથિત રીતે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા, જ્યાં સંવેદનશીલ સહકાર્યકરોને લક્ષ્ય બનાવવા ચર્ચાઓ થતી હતી. તપાસકર્તાઓ હવે એવા આરોપોની તપાસ કરી રહ્યા છે, જેમાં જુનિયર કર્મચારીઓ, ખાસ કરીને યુવાન હિન્દુ મહિલાઓને ઓળખીને અને તેમને પ્રલોભન અથવા વ્યક્તિગત પ્રભાવ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. 

પોલીસે આ કેસને કાર્યસ્થળ પર કાર્યરત એક જૂથ સાથે જોડ્યો છે અને કથિત પ્રવૃત્તિઓની ઊંડે  સુધી તપાસ કરી રહી છે. અધિકારીઓએ વધુ પીડિતોને આગળ આવવા અપીલ પણ કરી છે અને ફરિયાદો માટે એક સમર્પિત વોટ્સએપ નંબર જારી કર્યો છે.

કંપનીએ જણાવ્યું હતું કે તેણે તપાસ હેઠળના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને તપાસ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. કંપનીએ કહ્યું છે કે આગળની કાર્યવાહી ચાલુ તપાસના પરિણામ પર આધારિત રહેશે.

નાશિકમાં આ કેસના કારણે કંપનીની બહાર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે અને રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ આરોપોને આઘાતજનક અને ગંભીર ગણાવ્યા છે, સાથે જ પોલીસ કાર્યવાહીની  પ્રશંસા કરી છે. રાજ્યપ્રધાન નિતેશ રાણેએ HR વિભાગની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા અને કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો કે આ ઘટનાઓ એક મોટા પેટર્ન તરફ ઈશારો કરે છે.

પોલીસે જણાવ્યું હતું કે તપાસ હજુ ચાલુ છે અને હજુ સુધી કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. SIT ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ જાતીય સતામણી, હુમલો અને ધાર્મિક બળજબરી સહિતની તમામ ફરિયાદો અને પુરાવાઓની તપાસ કરી રહી છે. આ કેસથી આઇટી ક્ષેત્રમાં કાર્યસ્થળની સલામતી, યુવાન કર્મચારીઓની નબળાઈ અને મોટી કંપનીઓમાં આંતરિક ફરિયાદ