Sun Sep 13 2026

Logo

PM મોદીએ ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, જાણો શું છે ખાસિયત

2026-03-31 10:56:00
Author: Mayur Patel
PM મોદીએ ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, જાણો શું છે ખાસિયત

ગાંધીનગરઃ વડા પ્રધાન મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ ઉતરાણ બાદ તેઓ ગાંધીનગરના કોબા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતું. તેમણે મહાવીર જયંતીના દિવસે જૈન ધર્મનો ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો નિહાળ્યો હતો. 


સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની શું છે ખાસિયત

મહાવીર જયંતિના અવસરે, વડા પ્રધાન ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. અશોકના પૌત્ર અને જૈન પરંપરામાં અહિંસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને જૈન ધર્મના પ્રચાર માટે જાણીતા સમ્રાટ સંપ્રતિના નામ પરથી બનેલું આ મ્યુઝિયમ, જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરે છે.

મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સ્થિત આ મ્યુઝિયમમાં સાત અલગ-અલગ વિંગ્સ છે, જેમાંથી દરેક ભારતની સભ્યતાની પરંપરાઓના વિશિષ્ટ પાસાઓને સમર્પિત છે. તે મુલાકાતીઓને સદીઓના જ્ઞાન અને વારસાની વ્યાપક સફર કરાવશે. 

 

મ્યુઝિયમમાં સદીઓ જૂના દુર્લભ અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસો સચવાયેલો છે. જેમાં પથ્થર અને ધાતુની નકશીકામ કરેલી મૂર્તિઓ, વિશાળ તીર્થ પટ્ટ અને યંત્ર પટ્ટ, ચિત્રો, ચાંદીના રથ, સિક્કાઓ અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. જે સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિશાળ હોલમાં ગોઠવાયેલા બે હજારથી વધુ દુર્લભ ખજાનાઓ સાથે આ મ્યુઝિયમ મુલાકાતીઓને જૈન ધર્મના ઉત્ક્રાંતિ અને તેની ઊંડી સાંસ્કૃતિક અસરની ક્રમિક સમજ મેળવવામાં સક્ષમ બનાવશે.