ચેન્નઈ: મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ ખરાબ ફોર્મમાં રહેલા સિનિયર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો બચાવ કરતા કહ્યું છે કે તે તેની કારકિર્દીના એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં કંઈ પણ તેના માટે અનુકુળ થઈ રહ્યું નથી અને તેની પાસે સખત મહેનત કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. કેપ્ટન તરીકે ટી-20 વર્લ્ડ કપ જીતવા છતાં સૂર્યકુમાર યાદવ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
તેણે વર્તમાન આઈપીએલ સીઝનમાં અત્યાર સુધી નવ ઇનિંગ્સમાં 183 રન કર્યા છે જેમાં દિલ્હી સામેની અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તે પછી તેની શરૂઆત સારી રહી હતી પરંતુ તે તેને મોટા સ્કોરમાં ફેરવી શક્યો નહીં સૂર્યકુમારના નબળા પ્રદર્શન અંગે જયવર્ધને કહ્યું, "જો તે (સૂર્ય) કેટલાક સારા સ્કોર કરે છે, તો મને લાગે છે કે તે તેની લય શોધી લેશે." મને લાગે છે કે ક્યારેક ક્યારેક જ્યારે ચીજો તમારા અનુકુળ થતી નથી ત્યારે બધું બરાબર થતું નથી."
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું હતું કે, "મને લાગે છે કે તેણે ખરેખર સારો શોટ (રામકૃષ્ણ ઘોષની ઓવરમાં આઉટ થવું) રમ્યો જે સીધો ફિલ્ડર પાસે ગયો. મારો કહેવાનો અર્થ છે કે હું આટલું ક્રિકેટ રમ્યો છું તેને સમજી શકું છું."
જયવર્ધનેનું માનવું છે કે સૂર્યા "સારી સ્થિતિમાં છે", પરંતુ તેના મોટાભાગના સચોટ શોટ બાઉન્ડ્રી પર કેચ થાય છે. તે ચોક્કસપણે તેના માટે તૈયાર છે. તે સારી સ્થિતિમાં છે. મને લાગે છે કે તે પણ નિરાશ છે, પરંતુ તેણે વધુ મહેનત કરવાની જરૂર છે."
જસપ્રીત બુમરાહ વિશે જયવર્ધને સ્વીકાર્યું કે તેને અન્ય બોલરો તરફથી જરૂરી ટેકો મળી રહ્યો નથી. મારો કહેવાનો અર્થ છે કે જ્યારે બધા સાથે મળીને કામ કરે છે, ત્યારે વિકેટો આવતી રહે છે. તે બુમરાહને થોડો વધુ આક્રમક બનવામાં મદદ કરે છે. તે સારી બોલિંગ કરી રહ્યો છે."