Sun Aug 30 2026

Logo

ઘરઆંગણે પરાજયની હારમાળાનો અંત લાવવા માટે ડીસી મેદાનમાં ઉતરશે

2026-05-04 19:45:06
Author: વિપુલ વૈદ્ય
ઘરઆંગણે પરાજયની હારમાળાનો અંત લાવવા માટે ડીસી મેદાનમાં ઉતરશે

IPL


નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સ મંગળવારે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સમાન સ્તરે રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે ત્યારે ઘરેલુ મેદાન પર ત્રણ પીડાદાયક હારના પોતાના સિલસિલાને રોકવા માટે ભારે પ્રયાસો કરવા પડશે. બંને ટીમો નવ રમતોમાં આઠ પોઈન્ટ પર છે અને પાંચ મેચ બાકી હોવાથી, ભૂલ માટે હવે કોઈ જગ્યા બાકી નથી.

શુક્રવારે રાત્રે કેપિટલ્સે જયપુરમાં સારા બેટિંગ પ્રદર્શન બાદ હારની હેટ્રિક પછી આનંદદાયક જીત મેળવી હતી. તેમાંથી બે હાર ઘરઆંગણે થઈ હતી જેનાથી ડ્રેસિંગ રૂમમાં ભારે નુકસાન થયું કારણ કે પંજાબ કિંગ્સે રેકોર્ડ 265 રનનો પીછો કર્યો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એક શક્તિશાળી પેસ આક્રમણથી તેમની બરડ બેટિંગનો પર્દાફાશ કર્યો હતો. 

કોટલા ખાતેની હારમાં ગુજરાત ટાઇટન્સ સામે એક રનથી થયેલી રોમાંચક હારનો પણ આમાં સમાવેશ થાય છે, જે મેચ ડીસીને ચોક્કસપણે જીતવી જોઈતી હતી.સીએસકેની રમતમાં ડીસી માટે સૌથી મોટી સકારાત્મક બાબત એ છે કે ઓપનર પથુમ નિસાન્કા સતત સતત બેટિંગ કરતા કેએલ રાહુલ સાથે પોતાની રેન્જ શોધી રહ્યો છે જ્યારે સ્પીડસ્ટર મિશેલ સ્ટાર્ક બોલિંગ આક્રમણને ખૂબ જ જરૂરી ડંખ પૂરો પાડી રહ્યો છે.

ધોની હજુ નથી, ગાયકવાડનું ફોર્મમાં વાપસી એક મોટું બોનસ
સીઝનની તેમની 10મી મેચ પહેલા, સીએસકેના સીઈઓ કાસી વિશ્ર્વનાથને કહ્યું હતું કે એમ.એસ. ધોની હજુ સુધી સંપૂર્ણ ફિટનેસ મેળવી શક્યો નથી, જેના કારણે તે કોટલા ખાતેની રમતમાંથી બહાર થઈ ગયો છે.
ડીસીની જેમ, સીએસકે પણ તંગ દોરડા પર ચાલી રહ્યું છે અને જો તેઓ મંગળવારે રાત્રે હારી જાય છે, તો તે ટુર્નામેન્ટમાંથી વધુ એકવખત અકાળ બહાર નીકળી જશે, અહીં ઉલ્લેખનીય છે કે ગઈ સિઝનમાં પણ સીએસકે તળિયે રહી હતી.