નવી દિલ્હીઃ વાણિજ્ય મંત્રાલયે આજે ઓનલાઈન ધોરણે સ્ટોક આધારિત આંતરસરહદીય વેચાણ અથવા નિકાસ કરતી કંપનીઓ માટેની પ્રક્રિયાનાં ધોરણો નોટિફાઈ કર્યાં છે. નોંધનીય બાબત એ છે કે સરકારે તાજેતરમાં જ વિદેશી હિસ્સો ધરાવતી ઈ-કોમર્સ કંપનીઓને નિકાસ હેતુ માટે સ્ટોક રાખવા માટે મંજૂરી આપી હતી.
સ્ટોક અથવા તો ઈન્વેન્ટરી આધારિત આંતરસરહદીય ઈ-કોમર્સ સુવિધાના માળખાના અમલીકરણ માટેની કાર્યકારી પ્રક્રિયાઓ જેમાં મુખ્યત્વે નિકાસકારોનાં ઓન રેકોર્ડનું રજિસ્ટ્રેશન, સ્ટોકનો વહીવટ, વેચાણકર્તાની દૃશ્યતા, રિવર્સ લોજિસ્ટિક્સ, પ્રક્રિયા પાલનનું પ્રમાણપત્ર, વિવાદ નિરાકરણ, નિકાસકારો-ઓન રેકોર્ડ સંબંધિત પ્રક્રિયાગત આવશ્યકતાઓનો સમાવેશ થાય છે. જે તાત્કાલિક ધોરણથી અમલી કરવામાં આવે છે, એવું ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે નોટિફિકેશનમાં જણાવ્યું છે.
Chat GPT Generated Image