વોશિંગ્ટનઃ મિડલ ઈસ્ટમાં સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં છેલ્લા 35 દિવસથી અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર હુમલા કરી રહ્યું છે. જેનો ઈરાન જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જેના લીધે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધી રહી છે. તેમજ સમગ્ર વિશ્વના ઉર્જા સંકટ વધ્યું છે.જેની અસર અમેરિકામાં પણ વર્તવા લાગી છે. ત્યારે અમેરિકામાં પણ ટ્રમ્પ વિરુદ્ધ આક્રોશ વધી રહ્યો છે. તેમજ બંધારણના 25મા સુધારાનો ઉપયોગ કરીને ટ્રમ્પને હટાવી શકાય એટલે કે ઇમ્પીચ કરી શકાય કે નહીં તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓની આકરી પ્રતિક્રિયાઓ આવી છે
આ ચર્ચા સામાન્ય રાજકીય ગપસપથી આગળ વધી ગઈ છે. તેમને જાહેર હોદ્દા પરથી હટાવવાની શક્યતાઓ વધી ગઈ છે, જેના કારણે ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું તેમને સત્તા પરથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ઇરાન સાથેનું યુદ્ધ વકરી રહ્યું છે અને ટ્રમ્પની તાજેતરની ગાળા ગાળી ટિપ્પણીઓએ તીખી પ્રતિક્રિયાઓ જન્માવી છે.
પ્રમુખને સ્થાને દેશના ઉપપ્રમુખને સત્તા સોંપવાની જોગવાઈ
જો તેમને ખરેખર હટાવવામાં આવશે, તો તે અમેરિકી બંધારણના 25મા સુધારાનો ઉપયોગ કરીને કરવામાં આવશે. આ સુધારાનો ઉપયોગ પ્રમુખને હટાવવા માટે થાય છે. 25મો સુધારો એ અમેરિકન બંધારણમાં મૃત્યુ, ઇમ્પીચમેન્ટ, રાજીનામું અથવા અસમર્થતાના કિસ્સામાં પ્રમુખને સ્થાને દેશના ઉપપ્રમુખને સત્તા સોંપવાની જોગવાઈ છે.
Reuters
જોન એફ. કેનેડીની હત્યા બાદ 1967માં આ સુધારો બંધારણમાં ઉમેરવામાં આવ્યો
જોન એફ. કેનેડીની હત્યા બાદ 1967માં આ સુધારો બંધારણમાં ઉમેરવામાં આવ્યો હતો અને તે વહીવટી શાખાના ઉત્તરાધિકાર અને અસમર્થતા અંગેની અસ્પષ્ટતાઓને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તેને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. જે દરેક ચોક્કસ સંજોગોને ધ્યાનમાં રાખે છે.
આ કિસ્સામાં તેનો ઉપયોગ કરવો વધુ ગંભીર બાબત હશે. જેની માટે ઉપપ્રમુખ અને કેબિનેટની બહુમતીએ ઔપચારિક કાર્યવાહી કરવાની જરૂર પડશે. પ્રમુખ કોંગ્રેસને પત્ર લખીને આને પડકારી શકે છે. પરંતુ જો ઉપપ્રમુખ અને કેબિનેટ ચાર દિવસની અંદર પોતાના નિર્ણય પર મક્કમ રહે તો કોંગ્રેસ હસ્તક્ષેપ કરે છે અને મતદાન કરે છે. પ્રમુખને સત્તાથી દૂર રાખવા માટે બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે.
2019માં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી
ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવામાં આવ્યો હોય તેવું આ પહેલીવાર નહીં હોય. તેમના પર પ્રથમ વખત ડિસેમ્બર, 2019માં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમનો બીજો મહાભિયોગ 13 જાન્યુઆરી, 2021ના રોજ આવ્યો હતો, જેમાં તેમના પર 6 જાન્યુઆરી, 2021 ના રોજ કેપિટલ હિલ પર થયેલા હુમલાને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે તેમના કાર્યકાળ પૂરો થવાના માત્ર એક અઠવાડિયા પહેલા હતો. તેઓ પદ છોડ્યા પછી પણ આ કેસ ચાલુ રહ્યો હતો, જે કોઈ ભૂતપૂર્વ પ્રમુખ માટે પ્રથમ ઘટના હતી