Sun Jul 26 2026

Logo

પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઇચી વચ્ચે મુલાકાત, એઆઇ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

2026-07-02 15:47:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઈચી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ દરમિયાન આજે ભારત અને જાપાન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઇચીને નાની બહેન ગણાવ્યા હતા. તેમજ કહ્યું હતું કે ભારત-જાપાન વાર્ષિક સમિટ માટે જાપાનના વડાપ્રધાન તાકાઇચીનું તેમની પ્રથમ ભારત મુલાકાત દરમિયાન સ્વાગત કરતાં આનંદ થાય છે.

દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી

આ ઉપરાંત પીએમ મોદી  જાપાનના વડાપ્રધાન સાનાઇ તાકાઇચીએ  નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. તેમજ આ  બંને નેતાઓએ સેમિકન્ડક્ટર્સ, એઆઈ, સંરક્ષણ, સુરક્ષા, રોકાણ, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સહયોગ અંગે ચર્ચા કરી હતી. 

ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે

જાપાનના વડા પ્રધાન સના તાકાચી 1 થી 3 જુલાઈ દરમિયાન ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ 16મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પણ હાજરી આપી હતી.

ભારત-જાપાન આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ભાર 

આ ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ સમિટ ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને નવી ગતિ આપવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી. જે વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. આ બંને નેતાઓએ ભારત-જાપાન આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. જેમાં ખાસ કરીને સેમિકન્ડક્ટર, મહત્વપૂર્ણ ખનિજો, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, AI,નવી ટેકનોલોજી  અને મજબૂત સપ્લાય ચેઇન વિકસાવવા પર કેન્દ્રિત હતી.