Wed Aug 19 2026

Logo

મદ્રાસ હાઇકોર્ટે ઉદયનિધિ સ્ટાલિનને રાહત આપી, જામીનનો આદેશ

2026-08-04 15:41:00
Author: Chandrakant Kanoja
Article Image

ચેન્નાઈ : મદ્રાસ હાઇકોર્ટે ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનને રાહત આપી છે. હાઇકોર્ટે તેમને પૂછપરછ બાદ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ અંગે તમિલનાડુમાં કાવેરી જળ વિવાદ અંગે યોજાયેલી રેલીમાં અભિનેત્રી ત્રિશા સાથે થયેલી ઘટના બાદ પોલીસે ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ કરી હતી.

ડીએમકેએ મદ્રાસ હાઇકોર્ટેમાં જામીન માટે અરજી કરી હતી

ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ બાદ ડીએમકેએ મદ્રાસ હાઇકોર્ટેમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે સુનાવણી કરતાં કહ્યું કે તેમની પૂછપરછ બાદ પોલીસ સ્ટેશનથી જામીન આપવામાં આવે. ઉદયનિધિને ધરપકડ કર્યા બાદ પૂછપરછ માટે તંજાવુર લઈ જવામાં આવ્યા હતા.

મહિલાઓ દ્વારા દાખલ ફરિયાદના આધારે ધરપકડ 

આ  સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકારના એડવોકેટ જનરલે કોર્ટને માહિતી આપી કે મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના આધારે ડીએમકે નેતાની અટકાયત કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા પછી તેમને છોડી દેવામાં આવશે.

ડીએમકે નેતાને પણ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા નિર્દેશ કર્યો

આ ઉપરાંત હાઇકોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો હતો કે આજે જ પૂછપરછ પૂર્ણ કરવામાં આવે તેને કાલ સુધી લંબાવામાં ના આવે. તેમજ તેમણે પોલીસ સ્ટેશનથી જ જામીન આપીને મુક્ત કરવા આવે. તેમજ ડીએમકે નેતાને પણ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા નિર્દેશ કર્યો છે.