Mon Aug 24 2026

Logo

સુનેત્રા પવારને ચૂંટણી પંચની નોટિસ: NCP અજિત પવાર જૂથની મુશ્કેલી વધશે?

2026-08-03 19:56:23
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને એક પત્ર મોકલ્યો હતો. તેમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ૨૬ ફેબ્રુઆરીએ યોજાયેલી પક્ષની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પક્ષના બંધારણની કલમ ૬, ૭, ૧૨, ૩૨ અને ૩૬માં ફેરફાર મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તે ફેરફાર અંગેનો કોઈ સત્તાવાર પત્ર કે માહિતી ચૂંટણી પંચને મળી નથી. હવે ચૂંટણી પંચે પક્ષના બંધારણમાં કરાયેલા આ સુધારાઓને સાબિત કરવા માટે પક્ષ પાસેથી યોગ્ય અને કાયદેસરના દસ્તાવેજો તેમજ પ્રસ્તાવોની માંગણી કરી હતી.

૨૭ જુલાઈના ચૂંટણી પંચ દ્વારા એનસીપીના અધ્યક્ષ સુનેત્રા પવારના નામે એનસીપીને આ પત્ર આપવામાં આવ્યો હતો. અજિત પવારના અવસાન પછી, ૨૬ ફેબ્રુઆરીએ એનસીપીના યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં સુનેત્રા પવારને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. 

આ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં, તે સમયે રાષ્ટ્રીય કારોબારી દ્વારા પક્ષના બંધારણના કલમ ૬,૭, ૧૨, ૩૨ અને ૩૬ માં ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે, પક્ષના બંધારણમાં ફેરફાર અંગેના દસ્તાવેજો અને દરખાસ્તો ચૂંટણી પંચ સુધી પહોંચ્યા નથી. 

આ પૃષ્ઠભૂમિ સામે આ પત્ર મોકલવામાં આવ્યો છે. આ પત્ર નિયમિત પત્રવ્યવહારનો એક ભાગ છે, એમ એનસીપી નેતા ઉમેશ પાટીલે જણાવ્યું હતું. દરમિયાન, શું ચૂંટણી પંચના આ પત્રથી એનસીપી અજિત પવાર જૂથની મુશ્કેલીઓ વધી છે?