Wed Sep 09 2026

Logo

ઇજિપ્તમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ એક્ટિવ, લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા

Egypt   2026-08-03 08:35:00
Author: Mumbai Samachar Team
ઇજિપ્તમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ એક્ટિવ, લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા

નવી દિલ્હી: ઇજિપ્તમાં સોમવારે 5.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘર અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. પ્રારંભિક માહિતી અનુસાર, કોઈ મોટા જાન-માલના નુકસાનના સમાચાર નથી.

સ્થાનિક વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપ દેશની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. રાહત અને બચાવ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને પ્રભાવિત વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા માટે તમામ સંબંધિત વિભાગો તૈયાર છે.

જર્મનીના ભૂ-વિજ્ઞાન સંશોધન કેન્દ્ર (GFZ) મુજબ, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર હતું અને તેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર નોંધાઈ હતી. ઇજિપ્તમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના પછી વહીવટીતંત્ર અને રાહત એજન્સીઓ તુરંત સતર્ક થઈ ગઈ હતી.

ભૂકંપ પછી ઇજિપ્તીયન રેડ ક્રોસે (Egyptian Red Crescent) જે પ્રાંતોમાં આંચકા અનુભવાયા હતા, ત્યાં પોતાની કટોકટી પ્રતિસાદ યોજના સક્રિય કરી દીધી. સંસ્થાએ જણાવ્યું કે પ્રારંભિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ વ્યક્તિના જાનહાનિ થવા કે મિલકતને મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

રેડ ક્રોસે લોકોને અપીલ કરી છે કે જે ઇમારતોમાં માળખાકીય નુકસાનના સંકેતો દેખાય, તેનાથી દૂર રહેવું. સાથે જ નાગરિકોને માત્ર સરકારી એજન્સીઓ અને સત્તાવાર સ્ત્રોતો દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો અને અપડેટ્સનું જ પાલન કરવા જણાવ્યું છે. ભૂકંપના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે સંબંધિત એજન્સીઓ સતત સર્વે કરી રહી છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે, જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરી શકાય. પ્રારંભિક તપાસમાં કોઈ મોટા નુકસાન કે ગંભીર ઈજાની પુષ્ટિ થઈ નથી.

આ દરમિયાન ઇજિપ્તોના અધિકારીઓએ ભૂકંપના કેન્દ્ર અંગે સંશોધિત માહિતી જારી કરી છે. નવી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સ્વેઝ (Suez) શહેરથી લગભગ 38 કિલોમીટર દૂર ભૂમધ્ય સમુદ્ર ક્ષેત્રમાં સ્થિત હતું. વહીવટીતંત્રે જણાવ્યું છે કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના ભાગરૂપ નજર રાખવામાં આવશે અને જરૂર પડ્યે જરૂરી પગલાં લેવામાં આવશે.