બાલોતરા: રાજસ્થાનના રણુજા દર્શન કરી પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની કાર પલટી મારી ગઈ હતી. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાજસ્થાનના બાલોતરા જિલ્લાથી પસાર થતાં ભારતમાલા હાઈવે પર આસોતરા પાસે કાર સામે અચાનક જ નીલગાય આવી જતાં કાર ચાલકે તેને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ હ્રદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની જાણ થતાં જ થાવર ગામ સહિત મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો હતો.
Dangerous accident in #Balotra #Rajasthan. Three killed, three injured pic.twitter.com/27I10snK9M
— Siraj Noorani (@sirajnoorani) May 17, 2026
ઘાયલોને સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં ખસેડાયા
આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, મૃતકોની ઓળખ જમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉ.વ.35), હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉ.વ.32), યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉ.વ.18) તરીકે થઈ છે. જ્યારે અન્ય 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘાયલો અશોક ચૌધરી (ઉ.વ.26), કમલેશ ચૌધરી (ઉ.વ.30), આયુષ ચૌધરી, (ઉ.વ.8)ને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.