Wed Aug 19 2026

Logo

પીએમ મોદીની ટિપ્પણી પર ચિદમ્બરમનો પ્રહાર, કહ્યું મને દિમાગી નક્સલી હોવા પર ગર્વ

2026-08-16 16:33:39
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: પીએમ મોદીએ 15 ઓગસ્ટના ભાષણમાં લોકોને 'દિમાગી નક્સલી' માનસિકતા ધરાવતા લોકોને ઓળખવા અને તેમનાથી દૂર રહેવા અપીલ કરી હતી. જેની બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ અંગે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને દિમાગી નક્સલી હોવા પર ગર્વ છે.

સરકારે રાજકીય વિરોધીઓને અર્બન નક્સલ ગણાવ્યા હતા

કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે એકસ પર લખ્યું હતું કે, મને દિમાગી નક્સલી હોવા પર  ગર્વ છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ પીએમ મોદીની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. તેમણે દિમાગી નક્સલીની ટિપ્પણીને પોકળ રાજકીય બાબત ગણાવી હતી. તેમણે કહ્યું સરકારે આ પૂર્વે પણ રાજકીય વિરોધીઓને અર્બન નક્સલ ગણાવ્યા હતા.  ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં સ્પષ્ટતા કરવી પડી હતી કે આવી કોઈ સત્તાવાર કાનૂની વ્યાખ્યા અસ્તિત્વમાં નથી.

દિમાગી નક્સલીઓ પહેલા નીતિઓને પ્રભાવિત કરતા હતા

ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ લાલ કિલ્લાના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 થી સરકારે બળવાખોરીને કાબુમાં લીધી છે.જેમાં 3,500 થી વધુ સુરક્ષા કર્મચારીઓના જીવ ગુમાવ્યા છે. જોકે, તેમણે આરોપ લગાવ્યો કે માઓવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ - જેમને તેમણે " દિમાગી નક્સલી" ગણાવ્યા હતા. તે અગાઉ સરકારી સમિતિઓમાં હોદ્દા પર હતા અને નીતિઓને પ્રભાવિત કરતા હતા.

અમુક સંસ્થાઓમાં હજુ દિમાગી નક્સલી માનસિકતા અસ્તિત્વમાં

પીએમ મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોને જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ચેતવણી આપી કે, સશસ્ત્ર માઓવાદી હિંસા તેના અંતિમ તબક્કામાં  છે. જો કે અમુક સંસ્થાઓમાં હજુ દિમાગી નક્સલી માનસિકતા અસ્તિત્વમાં છે.