નેપાળમાં આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલનને ભારે તબાહી મચાવી છે. દુર્ઘટનાના આઠમા દિવસે પણ રાહત અને બચાવનું કામ ચાલુ છે. કાટમાળની વચ્ચેથી હજુ પણ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. નેપાળ પોલીસના લેટેસ્ટ આંકડા અનુસાર મંગળવારે રાતે 8 વાગ્યે આ આપત્તિમાં 1093 લોકોના મોત થઇ ચૂક્યા છે. તો ચાર હજારથી વધુ લોકો હજુ પણ લાપતા છે.
હકીકતમાં, આ દુર્ઘટના 26 ઓગસ્ટે ઉત્તરી નેપાળમાં થઈ હતી. ભારે વરસાદ પછી અનેક વિસ્તારોમાં અચાનક પૂર આવી ગયું હતું. આ સાથે જ મોટા પાયે ભૂસ્ખલન (ભૂમિ સ્ખલન) થયું હતું. જોતજોતામાં પાણી અને કાટમાળે ગામો અને કસ્બાઓને પોતાની ચપેટમાં લઈ લીધા. અનેક જગ્યાએ ઘર, રસ્તાઓ અને બીજી ઇમારતો કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.
3 મહિના માટે જાહેર કરાયું સંકટગ્રસ્ત ક્ષેત્ર
નેપાળ સરકારે પ્રભાવિત વિસ્તારને ઓછામાં ઓછા ત્રણ મહિના માટે સંકટગ્રસ્ત ક્ષેત્ર જાહેર કર્યો છે. સરકારનું કહેવું છે કે આનાથી રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી સંસાધનો ઝડપથી પહોંચાડી શકાશે. આ સાથે જ રાહત ટીમોની તૈનાતી પણ વધુ સારી રીતે કરી શકાશે.
સરકાર હવે બચાવ કાર્યની સાથે-સાથે રાહત અને પુનર્વસન પર પણ ભાર મૂકી રહી છે. પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ અને બચાવ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. ટીમો સતત કાટમાળ નીચે લોકોની શોધખોળ કરી રહી છે. લાપતા લોકોના પરિવારજનો હજુ પણ પોતાના સ્વજનો પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.
હેલીકોપ્ટરથી દેખાઇ તબાહીની તસવીર
ચીન મીડિયા ગ્રુપ (CMG)ના એક રિપોર્ટરને સોમવારે હેલીકોપ્ટરથી પ્રભાવત વિસ્તારોની મુલાકાત લીધી. આ વિસ્તાર ચીન-નેપાળ સીમ પર સ્થિત ગ્યિરોંગ-રસુવા સીમા ચોકીના નેપાળી ભાગમાં છે. આકાશમાંથી લીધેલી તસવીરોમાં વિનાશની તસવીરો જોવા મળી.
આ રિપોર્ટ અનુસાર, સીમા ચોકી પાસે નેપાળની તરફ અનેક ગામ અને નાના કસ્બા સંપૂર્ણ રીતે તબાહ થઇ ગયા અને ઇમારતો મોટા કાટમાળમા દબાઇ ગઇ છે.