Thu Jul 23 2026

Logo

એનસીપીની કારોબારીમાંથી ત્રણ લોકોને હટાવાયા!

2026-05-27 19:38:36
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના આંતરિક વર્તુળમાં હાલમાં ભારે ઉથલપાથલ અને ઝડપી રાજકીય હલચલ ચાલી રહી છે. નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી અજિત પવાર જૂથના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનેત્રા પવારના મુંબઈ ખાતેના સત્તાવાર ‘દેવગીરી’ નિવાસસ્થાને મંગળવારે યોજાયેલી મુખ્ય નેતાઓની બેઠક અત્યંત તોફાની બની રહી હતી. આ બેઠકમાં પાર્ટીની અંદરના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. એનસીપીની રાષ્ટ્રીય કારોબારીમાં પણ ચર્ચા થઈ હતી અને એવું બહાર આવ્યું છે કે પાર્ટી પ્રમુખ સુનેત્રા પવારે એક મોટો નિર્ણય લીધો છે.

વરિષ્ઠ નેતા સુનીલ તટકરેએ આ બેઠકમાં સીધી અને ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ સમગ્ર નારાજી નાટક પછી, હવે આધારભૂત સમાચાર છે કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનેત્રા પવારે ડેમેજ કંટ્રોલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે.

રાષ્ટ્રીય કારોબારીમાં ફણગા
એનસીપી ટૂંક સમયમાં ચૂંટણી પંચ (ઈસી)ને તેમની સુધારેલી નવી યાદી મોકલશે જેથી પાર્ટીની નવી કારોબારીને લઈને શરૂ થયેલા વિવાદનો અંત આવે. અગાઉ મોકલવામાં આવેલી યાદીમાં વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેના પદોનો ક્યાંય ઉલ્લેખ નહોતો, જેના કારણે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. વધુમાં, પટેલ અને તટકરે ખૂબ જ નારાજ હતા કે ઘણા નવા ચહેરાઓને કારોબારીમાં સીધા જ સ્થાન આપવામાં આવ્યું છે.

શું ત્રણેયને કારોબારીમાં દૂર કરવામાં આવશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, નાયબ મુખ્ય પ્રધાન અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનેત્રા પવારે આ વરિષ્ઠ નેતાઓની નારાજી દૂર કરવા માટે નવી યાદીમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ, નવાબ મલિકની પુત્રી સના મલિકને બદલે નવી કારોબારીમાં વરિષ્ઠ નેતા હસન મુશ્રીફને મોટી જવાબદારી મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નેતાઓ સુબોધ મોહિતે અને પ્રજાપતિને નવી કારોબારીમાં સીધા જ દૂર કરવામાં આવશે.