મુંબઈ: આયુષ્માન ભારત અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના (MJPJAY) ના લાભાર્થીઓને સારવાર આપવાનો ઇનકાર કરનારી રાજ્યભરની પ્રાઈવેટ હોસ્પિટલો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે આપી હતી.
વિધાનસભામાં સીએમએ માહિતી આપી કે રાજ્યની કુલ 479 હોસ્પિટલોમાંથી ફક્ત 134 હોસ્પિટલો બંને યોજનાનો સંયુક્ત રીતે અમલ કરી રહી છે.
કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આ મુદ્દો ઉઠાવી આરોપ કર્યો હતો કે ઘણી હોસ્પિટલો પાત્ર દર્દીઓને સારવાર આપવાનો ઇનકાર કરી રહી છે અને યોજનાઓ અમલમાં હોવા છતાં ચુકવણીની માંગ કરી રહી છે.
ઘણા દર્દીઓને સારવારનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, અને ઘણી હોસ્પિટલો ચાર્જ વિના સેવાઓ પૂરી પાડતી નથી. આ મુદ્દે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આક્ષેપનો જવાબ આપતા,ફડણવીસે સ્વીકાર્યું કે કેટલીક હોસ્પિટલો સારવારનો ઇનકાર કરી રહી હતી. તેમણે ગૃહને ખાતરી આપી કે હવે બધી પાત્ર હોસ્પિટલોને યોજનાઓનો અમલ કરવાની ફરજ પાડવામાં આવશે, અને જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ પર યોગ્ય પ્રક્રિયા પછી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(પીટીઆઈ)