Tue May 19 2026

Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ...

2026-03-04 14:58:04
Author: Mumbai Samachar Team
Article Image

દર્શન ભાવસાર

બોલ્યા વિના બોર કેવી રીતે વેચાય?
* સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને...

સૌથી પાકું ધન ક્યું?
* આપ કમાઈનું ... 

સૌથી પાકો રંગ ક્યો?
* દિલ (પ્રેમ)નો...
 
 મુંબઈમાં રોટલો મળે. તો અમદાવાદમાં શું મળે?
* રોટલો, ઓટલો, ચોટલો અને બાટલો (ખાનગીમાં!)

સંસારી વ્યક્તિ કથા કરે તો?
* તો કથાકાર સંસારીસાધુ બની જાય...
  
કીડીને કણ, હાથીને મણ. તો માણસને?.
* સદાય સવા મણ...

સટ્ટો ક્યારે અને ક્યાં રમાય?
* પૈસા હોય ત્યારે અને પોલીસ ના પહોંચે ત્યાં...

લગ્નમાં શું શું વાગે?
* ઢોલનગારા, શરણાઈ, ડીજે અને છેલ્લે રિસાયેલા સગાના મહેંણાટોણાં...

સૌથી વધુ બદનામ કયા સાધુ?
* તક સાધુ.

જીભ લપસીને ક્યાં પડે?
 * એ ક્યાંય ન પડે, પણ એને બોલનારો ઊથલી પડે...

મહેમાન માથે પડે તો?
* છોકરાંવને એમના પગે પાડતા શીખવી દો.

લગ્નની જેમ લિવ ઈનમાં પણ કોઈ વિધિ હોય ?
* હા, બન્ને પક્ષના વકીલને પૂછવાની.

ગુજરાતી ફિલ્મની સિકવલ કેમ ઓછી બને છે?
* મૂળના જ જ્યાં ભાગ્યે જ ઠેકાણા હોય ત્યાં....

ઉલ્લુ કયારે બનાવાય?
* 24 કલાક 365 દિવસ...

 સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા. હવે શું?
* શિક્ષક સ્માર્ટ બને એટલી વાર...

જુઠ્ઠું કેમ બોલવું પડે?
* સાચું બોલવાની ફાવટ ન હોય એથી...