ઉત્સવ

પ્રલયમાં પણ લય લાવી શકે છે નૃત્ય

ફોકસ -સંધ્યા સિંહ

અમેરિકન કોલેજ ઑફ કાર્ડિયોલોજી, જે એક બિન-લાભકારી તબીબી સંસ્થા છે, તેમના અનુસાર, ડાન્સ અર્થાત નૃત્ય હૃદયના ગંભીર દર્દીને પણ જીવનદાન આપી શકે છે. આના પરથી અંદાજો લગાવી શકાય છે કે ડાન્સ એ સામાન્ય જીવન માટે કેટલી હકારાત્મક પ્રવૃત્તિ છે. સોશિયોલોજિસ્ટથી લઈને મનોચિકિત્સક સુધી અને કાર્ડિયોલોજિસ્ટથી લઈને સામાન્ય લોકો સુધી, દરેક માને છે કે ડાન્સ એ આપણા માટે ફિટ રહેવાનો સૌથી સહેલો અને મનોરંજક રસ્તો છે. આ જાગૃકતા લાવવા માટે, દર વર્ષે ૨૯ એપ્રિલે ‘ઈન્ટરનેશનલ ડાન્સ ડે’ ઉજવવામાં આવે છે, કારણ કે આ તારીખે મોડર્ન બેલે ડાન્સના પિતા જીન-જ્યોર્જસ નોવરેનો જન્મદિવસ છે. નોવરેનો જન્મ ૧૭૨૭માં આ દિવસે થયો હતો. તેથી, ૧૯૮૨ થી, આ દિવસને વિશ્ર્વ નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ડાન્સ ડેની એક થીમ હોય છે અને તે થીમનું પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. જેમ કે વર્ષ ૨૦૨૩માં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની થીમ હતી – નૃત્ય વિશ્ર્વ સાથે વાતચીત કરવાનો એક માર્ગ. જ્યારે આ વર્ષે ડાન્સ ડેની થીમ છે – થિયેટર અને શાંતિની સંસ્કૃતિ એટલે કે વર્ષ ૨૦૨૪ના ડાન્સ ડેની થીમ વિશ્ર્વ રંગમંચને સમર્પિત છે.

પરંતુ જો આપણે નૃત્યની આ શૃંગારિક અને ભાવનાત્મક દુનિયાનો અનુભવ ન પણ કરી શકીએ, તો પણ નૃત્ય પોતે જ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સંજીવનીથી ઓછું નથી. તેથી, તેનું મહત્ત્વ ફક્ત આ સંદર્ભમાં પણ ખૂબ જ વધારે છે. જો કે, નૃત્યની પોતાની એક સામાજિક દુનિયા પણ છે અને તે ઓછી પ્રભાવશાળી કે ઓછી મહત્ત્વની નથી, પરંતુ મોટાભાગના સામાન્ય લોકો માટે, નૃત્યના સૌથી મોટા ફાયદા શારીરિક અને માનસિક જ હોય છે. એ અલગ વાત છે કે આજના સમયે નૃત્ય એ એક મોટો વ્યવસાય અને ઘણી સર્જનાત્મક કળાનું કેન્દ્ર છે. નૃત્ય એ તમામ પર્ફોર્મિંગ આર્ટનું નાભિ બિંદુ છે, પરંતુ નૃત્યના આ સંદર્ભો માત્ર એવા થોડા સર્જનાત્મક લોકોથી જ છે જેઓ નૃત્યને સમર્પિત છે અને નૃત્યની લયને જીવનની લય માને છે. સામાન્ય લોકો માટે નૃત્ય એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો ખજાનો છે. અમેરિકન હાર્ટ હેલ્થ નિષ્ણાતો નૃત્યને સ્નાયુની શક્તિ, ભાવનાત્મક સહનશક્તિ અને ફિટનેસ માટે મોટી સંભાવનાઓનું કેન્દ્ર માને છે. મેડિકલ તારણો અનુસાર, ડાન્સ કરવાથી હૃદય ૭૦ થી ૮૦ ટકા કંઇ કર્યા વિના સ્વસ્થ રહે છે. ડાન્સ કરવાથી તમને ચિંતા, ડિપ્રેશન, હાયપરટેન્શન જેવા બે ડઝન જીવનશૈલીના રોગો થતા નથી. નૃત્ય કરવાથી આત્મવિશ્ર્વાસ વધે છે. તે તમારી જ્ઞાનાત્મક બુદ્ધિમાં વધારો કરે છે. નૃત્ય કરવાથી શરીરમાં લય આવે છે અને માત્ર શરીરના અંગોમાં જ નહીં પણ સ્વભાવ અને સંવેદનશીલતામાં પણ દેખાઈ છે. નૃત્ય હંમેશાં તમારા નવા મિત્રો બનાવે છે અને તમારી અંદર સર્જનાત્મકતા, સ્વ-શિસ્ત અને સહયોગથી કામ કરવાની ક્ષમતા વિકસાવે છે.

તે કહેવાની જરૂર જ નથી કે નૃત્ય તમારી અંદર સૌંદર્યની ભાવના પેદા કરે છે. કહેવાય છે કે નૃત્યાંગનાની આંખો જગતનું સર્જન જુએ છે. અમેરિકામાં થયેલા એક રિસર્ચ મુજબ દરરોજ એક કલાક સુધી ડાન્સ કરનારા લોકો ભાગ્યે જ કોઈ ગુનાહિત ઘટનામાં સામેલ જોવા મળે છે. જે લોકો નિયમિત રીતે નૃત્ય કરે છે તેમના હૃદય અને મગજમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન જ નથી થતા કે જે તેમને કોઈપણ પ્રકારની આક્રમકતા અથવા ગુના તરફ દોરી જાય. નૃત્યમાં આવી સકારાત્મકતા અને સંવેદનશીલતા છે. દરેક નૃત્ય કરનારને લગભગ તમામ સર્જનાત્મક કળાઓમાં રસ હોય છે. કારણ કે નૃત્ય તેની માનસિક સ્થિતિ અને ‘સ્ટેટ ઓફ માઈન્ડ’ને સંવેદનાથી ભરી દે છે. તેથી જ કહેવાય છે કે ડાન્સરના મગજમાં કાર્ટિસોલનું સ્તર ઘણું ઓછું હોય છે અને ઓક્સિટોસિનનું સ્તર વધે છે એટલે કે ફીલ ગુડ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તેથી જ માનવની પૃથ્વી પરની સૌથી સુંદર પ્રવૃત્તિને નૃત્ય કહેવામાં આવે છે.

નિયમિત રીતે નૃત્ય કરતા લોકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તો સારું હોય જ છે, તેઓને ક્યારેય ઑસ્ટિયોપોરોસિસનું જોખમ નથી હોતું. કહેવાય છે ડાન્સ જાણવાવાળાઓને સંગીતની જાણકારી આપોઆપ જ થઈ જાય છે. કારણ કે ડાન્સ કરનારાઓનું શરીર જ નહીં પણ મન પણ લયમાં રહે છે અને સંગીત સાથે તાલ સરળતાથી આત્મસાત થઈ જાય છે. નૃત્ય સિવાય, વિશ્ર્વમાં અન્ય કોઈ એવી સક્રિય પ્રવૃત્તિ નથી જેમાં શરીર અને મન એક લયમાં રહે. તેનાથી હૃદય અને ફેફસાંની સ્થિતિ સુધરે છે. તમારું વજન ક્યારેય વધતું નથી અને ડાન્સ શીખવાથી બીજી બધી કળા આપોઆપ તમારી નજીક આવી જાય છે. આ જગતમાં, મનુષ્યની અંદર ચેતના વિકસિત થવાની સાથે, તેમનામાં નૃત્ય જેવી પ્રવૃત્તિની શોધ થઈ, પરંતુ નૃત્યની શાસ્ત્રીયતા સૌપ્રથમ ભારતમાં જ શોધાઈ હતી. તેથી, ભારતમાં નૃત્યની પોતાની ક્લાસિક પરંપરા છે, એવી જે વિશ્ર્વમાં બીજે ક્યાંય નથી. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં નૃત્ય એ શારીરિક પ્રવૃત્તિ નથી, પરંતુ આધ્યાત્મિક અભ્યાસ છે, તેથી નૃત્યને મહાયોગ પણ કહેવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…