ચમૌલીઃ ઉત્તરાખંડના ચમૌલીમાં એક નિર્માણાધીન ટનલમાં કાટમાળ પડવાની ઘટના બની છે. આ કાટમાળ પડી જતા નીચે 20થી વધારે શ્રમિકોનો ભોગ લેવાયો છે. 16 શ્રમિકોને સુરક્ષિત રીતે બાહર કાઢી લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સામે આવતા યુદ્ધના ધોરણે રેસક્યૂ ઑપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ચમૌલી પાસે પીપલકોટીમાં THDCની સહાયક કંપની HCCના નિર્માણાધીન DRT ટનલનું કામ ચાલી રહ્યું હતું. અંદરની બાજુ કાટમાળ પડતા અંદર કામ કરી રહેલા 20થી વધારે શ્રમિકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બચાવ કામગીરી ચાલુ
આ સમગ્ર ઘટના સામે આવતા વહીવટી તંત્ર, ફાયર તેમજ પોલીસ વિભાગની ટીમ દોડી ગઈ હતી. 20થી વધારે શ્રમિકો અંદર કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને SDRF ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 16 કામદારોને ટનલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના ફસાયેલા કામદારોને બચાવવાના પ્રયાસો ઝડપથી ચાલુ છે. બચાવાયેલા તમામ કામદારોને તબીબી સારવાર માટે ગોપેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાહત અને બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.
પાણી ભરાય જતા પડકાર વધ્યો
અત્યાર સુધીમાં, સુરંગમાં ફસાયેલા 16 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે.ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમારે જણાવ્યું હતું કે, આ THDC હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે બનાવવામાં આવી રહેલી ટનલ છે. સાંજે 6:30 કે 6:45 વાગ્યાની આસપાસ, ટનલ કાટમાળ અને પાણીથી ભરાઈ ગઈ હતી, જેના કારણે ફરજ પરના કામદારો અંદર ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં, આશરે 14 કે 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. NDRF અને SDRF ટીમો બધી મશીનરી સાથે, બાકીના વ્યક્તિઓને બચાવવાના પ્રયાસમાં રોકાયેલી છે અને અમને આશા છે કે અમે આગામી થોડા કલાકોમાં બધાને સુરક્ષિત રીતે બહાર કાઢીશું. THDC ટનલમાં કાટમાળ અને પાણી ઘૂસવાની ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, NDRF અને SDRF ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ
જિલ્લા વહીવટીતંત્ર અને તમામ સંબંધિત વિભાગો અને એજન્સીઓને સંકલિત રીતે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ધામી વ્યક્તિગત રીતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ અંગે વાસ્તવિક સમયના અપડેટ્સ મેળવી રહ્યા છે. સરકારની ટોચની પ્રાથમિકતા ટનલમાં ફસાયેલા દરેક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે, અને આ માટે તમામ જરૂરી સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત અને બચાવ પ્રયાસોમાં કોઈ ઢીલ ન રહે અને અસરગ્રસ્ત વ્યક્તિઓ અને તેમના પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવે તેની ખાતરી કરવા સૂચના આપી છે.ખાસ કરીને કોઈ શ્રમિકને વધારે પડતી ઈજા ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.