દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ચંદ્રાકાંતા ફેમ પીઢ અભિનેતા ભરત કપૂરનું નિધન, મુંબઈમાં થયા અંતિમ સંસ્કાર
ચંદ્રાકાંતા ફેમ પીઢ અભિનેતા ભરત કપૂરનું લાંબી બીમારી બાદ 80 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનની અભિનેતા અવતાર ગિલે પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ભરત કપૂર છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા.આ પૂર્વે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ હું તેમના અંતિમ સંસ્કાર બાદ પરત ફર્યો છું.
કુણાલ પંડ્યાને મળી સફળતા
દિલ્હીની પહેલી ઓવરથી વિકેટ પડવાનો ક્રમે જળવાઈ રહ્યો છે, જેમાં કુણાલ પંડ્યાને પહેલી જ ઓવરમાં કાઈલ જેમિસનની વિકેટ ઝડપવામાં સફળતા મળી. 13મી ઓવરમાં 62 રનના સ્કોરે દિલ્હીને આઠમી વિકેટનો ઝટકો. કાઈલ જેમિસનના 13 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો, જેમાં ડેવિડ મિલર પછી સૌથી વધુ રન બનાવ્યા હતા.
મિલર આઉટ થતા દિલ્હીની આશા પર પાણી ફરી વળ્યું
નવમી ઓવરમાં આરસીબીના રસિખ સલામે ડેવિડ મિલરની વિકેટ ઝડપીને દિલ્હીની સન્માનીય સ્કોર બનાવે એની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. રસિખ સલામે જિતેશ શર્માએ વધુ એક કેચ ઝડપીને બેક ઓફ લેન્થમાં કેચ આઉટ કર્યો હતો. દિલ્હીએ 10 ઓવરમાં સાત વિકેટે 46 રન બનાવ્યા, જ્યારે જિતેશ શર્માએ ચાર કેચઆઉટ કર્યાં.
પશ્ચિમ બંગાળમાં પ્રચાર પડઘમ શાંત, 29 એપ્રિલના રોજ અંતિમ તબક્કાનું મતદાન
પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. જેની માટે ભાજપ તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ વખતે રાજ્યમાં મમતા બેનર્જીની ટીએમસી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.
ચાર ઓવરમાં અડધી ટીમ પેવેલિયનમાં
રોયલ ચેલેન્જર્સે પહેલી ચાર ઓવરમાં અડધી ટીમ પેવેયિલન ભેગી થઈ ગઈ, જેમાં બંને બોલરે બે-બે ઓવરમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને આ વખતની આઈપીએલમાં રેકોર્ડ બનાવ્યો હોવાનું લાગી રહ્યું છે. ચોથી ઓવરમાં જોશ હેઝલવુડે નિતિશ રાણાની વિકેટ ઝડપી, જ્યારે ટીમવતી સૌથી વધુ રન સ્ટબ્સ (પાંચ રન) બનાવ્યા હતા.
ભુવનેશ્વર કુમારનો સપાટોઃ 2 ઓવરમાં 3 વિકેટ
પહેલી બે ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવનાર દિલ્હી કેપિટલ્સે ત્રીજી ઓવરમાં બીજી બે વિકેટ ગુમાવતા દબાણમાં આવ્યું, પરંતુ ભુવનેશ્વર કુમારે ટ્રિસ્ટન સ્ટબ્સની વિકેટ લીધા પછી કેપ્ટન અક્ષર પટેલને પણ વિકેટ કિપર જિતેશ કુમારને વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ લઈને દિલ્હીના નાકમાં દમ લાવી દીધો. આઠ રનના સ્કોરે દિલ્હીએ પાંચ વિકેટ ગુમાવી.
IPL: 2 ઓવરમાં દિલ્હીની ત્રણ વિકેટ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ (RCB) પહેલી ઓવરથી અક્ષર પટેલની ટીમ પર દબાણમાં લાવવામાં સફળ. પહેલી ઓવરમાં નવોદિત સાહિલ પરખને ભુવનેશ્વર કુમારે બોલ્ડ કર્યો, જ્યારે બીજી ઓવરમાં કેએલ રાહુલ (1) અને સમીર રિઝવી (1)ની વિકેટ જોશ હેઝલવુડે ખેરવતા ત્રણ વિકેટે સાત રનનો સ્કોર. આ અગાઉ કેએલ રાહુલે રેકોર્ડ બ્રેક ઈનિંગ રમ્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઇરાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું, કહ્યું મદદ કરીશું
મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ યથાવત છે. તેવા સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના નાયબ વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન પુતિને ઈરાનના ટોચના નેતૃત્વને ખાસ સંદેશ પણ આપ્યો અને તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.તેમજ કહ્યું કે અમે તમામ મદદ કરીશું જેમા ઈરાનના હિતમાં હશે.
IPL: આરસીબીએ ટોસ જીતીને બોલિંગ લીધી
દિલ્હી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની આજની હાઈ વોલ્ટેજ મેચમાં આરસીબીએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જ્યારે બેટિંગમાં દિલ્હી આવશે. આરસીબીમાં કોઈ ફેરફાર કર્યો નથી, દિલ્હી કેપિટલ્સમાં લુંગી એંગિડી, મુકેશ કુમાર અને પથુમ નિસંકાને બદલે સાહિલ પરખ, કાઈલ જેમિસન અને દુષ્મંથા ચમીરા રમશે.
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને પત્ર લખ્યો, કહ્યું હવે ભરોસો જોઇએ, ભાજપ જોઇએ
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. આ પૂર્વે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, બંગાળનો દરેક નાગરિક અને પરિવાર પરિવર્તનના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ભય બહુ થયો છે હવે ભરોસો જોઇએ, હવે ભાજપ જોઇએ
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને પત્ર લખ્યો, કહ્યું હવે ભરોસો જોઇએ, ભાજપ જોઇએ
પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. આ પૂર્વે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, બંગાળનો દરેક નાગરિક અને પરિવાર પરિવર્તનના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ભય બહુ થયો છે હવે ભરોસો જોઇએ, હવે ભાજપ જોઇએ
અશોક ગેહલોતનું સચિન પાયલોટ મુદ્દે મોટું નિવેદન, કહ્યું તેમના બંને પગ કોંગ્રેસમાં
રાજસ્થાનમાં કોંગ્રેસના બે નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે શાબ્દિક યુદ્ધ હજુ શાંત નથી થયું. જેમાં અશોક ગેહલોતે સચિન પાયલોટ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે સચિન પાયલોટના બંને પગ હવે કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે જોડાયેલા છે.
મરાઠી શીખવા 6 મહિનાનો સમય આપવાની માગ
મહારાષ્ટ્ર સરકારે પહેલી મેથી મુંબઈમાં ઓટો-રિક્ષા અને ટેક્સીચાલકો માટે મરાઠી બોલવાનો નિર્ણય ફરજિયાત બનાવ્યો હતો, પરંતુ આ મુદ્દે આજે સરકારે સંગઠનો સાથે મહત્ત્વની બેઠક યોજવામાં આવી, જેમાં સરકારના આકરા નિર્ણયથી ડ્રાઈવરોની રોજગારી પર અસર થાય નહીં એના માટે છ મહિનાનો સમય આપવાની માગણી કરવામાં આવી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ મળશે, એફટીએ પર હસ્તાક્ષર
ભારત અને ન્યુઝીલેન્ડે આજે મુકત વેપાર કરાર( FTA)પર હસ્તાક્ષર કર્યા છે. જેનો હેતુ બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકક્લેની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારત અને ચીન સહિત વિશ્વના 20 દેશોએ સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો
મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે વિશ્વના અનેક દેશોની ચિંતા વધારી છે. તેમજ અનેક દેશોએ સંભવિત યુદ્ધના પગલે સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે. જેમાં ભારત, પાકિસ્તાન, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે.
લદ્દાખમાં પાંચ નવા જિલ્લાની જાહેરાત
લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નરે પાંચ નવા જિલ્લાના ગઠન માટેના નોટિફિકેશનની મંજૂરી આપી છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને પાંચ નવા જિલ્લાની જાહેરાત કરી છે, જેમાં નુબ્રા, સાંજ, ચાંગથાંગ, ઝન્સકાર અને દ્રાસનો સમાવેશ થાય છે.
સભાપતિએ 7 સાંસદોના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી
નવી દિલ્હીઃ રાઘવ ચઢ્ઢા સહિત 'આમ આદમી પાર્ટી'ના 7 સાંસદો સભાપતિ દ્વારા ભાજપમાં સામેલ થવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. સભાપતિની મંજૂરી બાદ રાઘવ ચઢ્ઢા સહિત 'આમ આદમી પાર્ટી'ના 7 સાંસદો હવે સત્તાવાર રીતે ભાજપના થઈ ગયા છે. એટલે હવે રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 113 થઈ છે.
ચૂંટણી પરિણામો પહેલાં AAPમાં ભૂકંપ: ખેડૂત નેતા સાગર રબારીનું રાજીનામું
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમણે આ જાણકારી આપી છે.
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે લાગી આગ
અમદાવાદઃ અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે એક કોમ્પ્લેક્ષમાં આગ લાગી છે. ગ્રાઉન્ડથી આગ લાગતા પહેલા ફ્લોરથી બીજા ફ્લોર વાળા કામ કરતા લોકો ફસાઈ ગયાં છે. ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છેઅનેક વાહનોમાં . આગની ચપેટમાં આવતા બળીન બળીને ખાખ થયા.. કેટલાક વાહનોમાં બ્લાસ્ટ થયો હોવાનુ પણ જાણવા મળ્યું છે. હજી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.
મની લોન્ડ્રિંગ કેસમાં પંજાબના પૂર્વ DIG હરચરણ સિંહ ભુલ્લરના 11 સ્થળો પર EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પંજાબના પૂર્વ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) હરચરણ સિંહ ભુલ્લર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની ટીમોએ પંજાબમાં ભુલ્લર સાથે સંકળાયેલા કુલ 11 વિવિધ સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ચંદીગઢ અને પંજાબના અન્ય શહેરોનો સમાવેશ થાય છે. હરચરણ સિંહ ભુલ્લર પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. તેમના પર સરકારી પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિ ભેગી કરવાનો અને નાણાકીય વ્યવહારોમાં હેરાફેરી કરવાનો આરોપ છે. આ કાર્યવાહીથી પંજાબના પોલીસ અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મધ્યસ્થી તરીકે પાકિસ્તાન પર ઈરાનને ભરોસો નથી
ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર ઈરાને સવાલો ઉભા કર્યા છે. ઈરાનના સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાન આપણું સારું પાડોશી હોઈ શકે છે, પરંતુ અમેરિકા સાથેના તેના સંબંધોને જોતા મધ્યસ્થી તરીકે તેની નિષ્પક્ષતા પર શંકા જાય છે.