Mon May 04 2026

Logo

રાહુરી પેટાચૂંટણી: અક્ષય કર્ડીલેની ભવ્ય જીત, જન્મદિવસે મતદારોએ આપી અનોખી 'રિટર્ન ગિફ્ટ'

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રાહુરી પેટાચૂંટણીમાં નવા ચહેરા અક્ષય કાર્ડિલેએ જીત મેળવી છે. ખાસ વાત એ છે કે આ જીત જન્મદિવસે થઈ હોવાથી મતદારો તરફથી 'રિટર્ન ગિફ્ટ' માનવામાં આવી રહી છે. રાજકીય સમાધાનો, સમીકરણો અને ચર્ચાઓની પૃષ્ઠભૂમિમાં આ પરિણામ વિશેષ મહત્વ ધરાવે છે.

શિવાજી કર્ડીલેના અકાળ અવસાન પછી, રાહુરી મતવિસ્તારમાં પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તેમના પુત્ર અક્ષય કર્ડીલેએ ચૂંટણીમાં ઝંપલાવ્યું. આ ચૂંટણી ભાવનાત્મક સ્વરૂપની હોવા છતાં તેમણે પરંપરાગત રાજકીય પદ્ધતિ કરતાં અલગ શૈલીમાં પ્રચાર કર્યો હતો.

આ જીત મેળવવા પડદા પાછળ  એક મજબૂત તંત્ર કામ કરી રહ્યું હતું. રાધાકૃષ્ણ વિખે પાટીલ અને સંગ્રામ જગતાપના સંગઠનાત્મક સમર્થનથી પ્રચારમાં કોઈ કમી રહી નહોતી. ભાજપના સત્તાવાર તંત્ર અને વ્યક્તિગત કાર્યકરોની સેના બંને વચ્ચે સંકલન હતું.

આ ચૂંટણીમાં એનસીપીનાં પ્રાજક્તા તાનપુરે ઝુકાવશે એવી અપેક્ષા હતી. જોકે, ભાજપના વરિષ્ઠ નેતાઓના સૌજન્યને કારણે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. આનાથી અક્ષય કાર્ડિલે માટે રાહુરીમાં લડાઈ સરળ બની ગઈ.

પ્રાજક્તા તાનપુરેના ભાવિ રાજકીય માર્ગ અંગે હવે ચર્ચાઓ ચાલી રહી છે. શું તેઓ ભવિષ્યમાં ભાજપમાં જોડાશે? કે પછી તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી ફરીથી 2029ની ચૂંટણી લડશે એ વિશે અટકળો થઈ રહી છે.