ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs ENG: વિરાટના ચાહકો નિરાશ, ‘હું નહીં રમી શકું’: વિરાટ કોહલી

નવી દિલ્હી: વિરાટ કોહલી (virat kohli) ના કરોડો ચાહકોને નિરાશા કરી શકે તેવી ખબર બહાર આવી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં (IND vs ENG test series 2024) વિરાટ કોહલીને જોવાની આશા તૂટી ગઈ છે. સ્ટાર બેટ્સમેન નેગાડૌએ આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જાણ કરી છે કે વિરાટ સિરીઝની બાકીની 3 મેચમાં પણ નહીં રમે. કોહલી પ્રથમ અને બીજી ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો, જ્યારે ત્રીજી અને ચોથી ટેસ્ટમાંથી તેના બહાર હોવાના સમાચાર આવવા લાગ્યા હતા. જોકે, 5મી ટેસ્ટમાં વાપસીની આશા હતી પરંતુ હવે તેમાં પણ જોવા નહીં મળે.

2011માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર વિરાટ કોહલીને તેની આખી કારકિર્દીમાં પહેલીવાર આવો દિવસ જોવો પડ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોહલી ઘરઆંગણે આયોજિત કોઈપણ ટેસ્ટ શ્રેણીમાં એક પણ મેચ નહીં રમે. આ પહેલા પણ કેટલાક પ્રસંગોએ આવું બન્યું હતું જ્યારે કોહલી ટેસ્ટ સિરીઝમાં એક પણ મેચ રમી શક્યો ન હતો, પરંતુ પહેલીવાર તે ઘરેલું ટેસ્ટ સિરીઝમાં રમ્યા વિના બહાર થઈ ગયો હતો.

2011માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર વિરાટ કોહલીની આખી કેરિયરમાં આવું પહેલી વાર બની રહ્યું છે કે હોમ ગ્રાઉન્ડ પર રમાય રહેલી ટેસ્ટ સીરિઝમાં એક પણ મેચ નહીં રમે. અગાઉ પણ ઘણી વાર એવું બન્યું છે કે તે ટેસ્ટ સીરિઝમાં નથી રમી શક્યો પણ હોમ ટેસ્ટ સીરિઝમાં ન રમી શક્યો હોય તેવું પ્રથમ વાર બની રહ્યું છે.

પાવરફુલ બેટ્સમેન વિરાટ કોહલી આ સીરીઝની છેલ્લી બે મેચનો ભાગ બની શક્યો ન હતો. તેણે અંગત કારણોસર ટીમ મેનેજમેન્ટ પાસેથી રજા માંગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની અનુષ્કા શર્મા બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ જાણકારી કોહલીના ખાસ મિત્ર એબી ડી વિલિયર્સે આપી હતી.

આપને જણાવી દઈએ કે BCCIએ હજુ સુધી છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી, જ્યારે ત્રીજી ટેસ્ટ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોહલીના કારણે જ ટીમની જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા કોહલીને કોઈપણ કિંમતે ટીમમાં ઈચ્છે છે, જ્યારે કોહલી તેની ઉપલબ્ધતા અંગે નિર્ણય નથી આપી રહ્યો અને તેથી જ ટીમની જાહેરાત થઈ રહી નથી.

તો હવે કોહલીએ બોર્ડને પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી છે. આવી સ્થિતિમાં પસંદગીકારો આજે જ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. કોહલીની વાપસી ન થવાને કારણે સરફરાઝ ખાન અને રજત પાટીદાર જેવા યુવા ખેલાડીઓ ટીમમાં રહી શકે છે. જોકે, શ્રેયસ અય્યર આખી સેરીઝમાંથી બહાર થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…