IPL 2024

CSK સામે MIની હાર બાદ Hardik Pandyaના સપોર્ટમાં આવી આ વ્યક્તિ, કહી દીધી આવી વાત…

IPL-2024માં Mumbai Indian’sના બેટિંગના કોચ Kieron Pollard ખુદ ટીમની હાર માટે અમુક ખાસ વ્યક્તિને દોષી ઠેરવવાની લોકોની માનસિકતાથી પરેશાન થઈ ગયા છે અને તેમણે હવે MI Captain Hardik Pandyaના સપોર્ટમાં આવીને ફેન્સને ટીમની હાર માટે હાર્દિક પર દોષનો ટોપલો નહીં ઢોળવા માટે અપીલ કરી છે.

ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન CSKના એક્સ કેપ્ટન એમ એસ ધોનીએ પંડ્યાની લાસ્ટ ઓવરમાં સતત ત્રણ સિક્સ ફટકારીને 26 રન એક ઓવરમાં 26 રન બનાવ્યા હતા. આ ઓવરમાં પંડ્યાને લાઈન અને લેન્થને લઈને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

એટલું જ નહીં એકદમ કટોકટીના સમય પર પંડ્યાએ બે વાઈડ બોલ પણ નાખ્યા. કુલ મળીને હાર્દિક પંડ્યાએ પોતાની 3 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સિવાય બેટિંગમાં પણ તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેચના મહત્ત્વના પોઈન્ટ પર હાર્દિક પંડ્યા છ બોલમાં બે જ રન બનાવી શક્યો હતો.

આપણ વાંચો: પહેલી વાર રોહિત-ધોનીની કૅપ્ટન્સી વિના મુંબઈ-ચેન્નઈ વચ્ચે ટક્કર

ટીમના કોચ પોલાર્ડે મેચ બાદ પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તમને દરરોજ અલગ અલગ દિવસનો સામનો કરવો પડે છે અને હું ટીમની હાલ માટે કોઈ પણ ખેલાડી પર કરવામાં આવતા પર્સનલ એટેકથી પરેશાન થઈ ગયો છું. ક્રિકેટ એ એક ટીમ ગેમ છે. પંડ્યા એક આત્મવિશ્વાસથી છલોછલ વ્યક્તિ છે. ટીમના સાથીઓ સાથે તેના સંબંધ ખૂબ જ સારા છે. ક્રિકેટમાં કોઈ દિવસ તમારા માટે ખૂબ જ સારો હોય છે તો કોઈ દિવસ એકદમ ખરાબ.

વધુમાં પોલાર્ડે એવું પણ જણાવ્યું હતું કે હું હાર્દિકમાં એક એવા વ્યક્તિને જોઈ રહ્યો છું જે પોતાની કુશળતાને પારખીને સમજીને પોતાની ક્ષમતા દેખાડવા માટે પૂરતી મહેનત કરી રહી છે. એટલું જ નહીં પણ પોલાર્ડે ફેન્સને આ રીતે પર્સનલ એટેક નહીં કરવાની ભલામણ પણ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning