નેશનલ

“ખાનગી કંપનીનો કામનો કૉન્ટ્રેક્ટ કારણ વિના રદ કરી ન શકાય, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

નવી દિલ્હી: ખાનગી કંપનીઓને આપવામાં આવેલા કામના કૉન્ટ્રેક્ટ કારણ આપ્યા વિના રદ કરી શકાય નહીં, એમ જણાવતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કલકત્તા હાઈ કોર્ટના ચુકાદા સામે કરવામાં આવેલી અપીલ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે. બી. પારડીવાલા તેમ જ જસ્ટિસ મનોજ મિસરાની ખંડપીઠે કહ્યું હતું કે કૉન્ટ્રેક્ટ મેળવ્યા બાદ ખાનગી પાર્ટીઓ જે રોકાણ કરે છે તેમાં વળતર મેળવવાની વ્યાજબી અપેક્ષાઓ હોય છે.
કોઈપણ કારણ આપ્યા વગર કૉન્ટ્રેક્ટને કેવી રીતે ખતમ કરી શકાય? ખાનગી વ્યક્તિ કામ મળ્યા બાદ ખાસ્સું એવું રોકાણ કરતો હોય છે.


આ કેસની વાસ્તવિકતાનો ઉલ્લેખ કરતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે કૉન્ટ્રેક્ટને રદ કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું.


હાઈ કોર્ટની ખંડપીઠે 25 મે, 2023ના રોજ સિંગલ જજની ખંડપીઠના ચુકાદાને માન્ય રાખ્યો હતો, જેણે સુબોધ કુમાર સિંહ રાઠોડની પેઢીને આપવામાં આવેલો કૉન્ટ્રેક્ટ રદ કરવાને મંજૂરી આપી હતી.


આ પેઢીએ કોલકાતામાં ઈસ્ટર્ન મેટ્રોપોલિટન બાયપાસના બે અંડરપાસની 10 વર્ષની જાળવણી માટેનો કૉન્ટ્રેક્ટ મેળવ્યો હતો. કૉન્ટ્રેક્ટના ભાગરૂપે પેઢીને અંડરપાસની અંદર અને ઉપર જાહેરાત કરવાના અધિકાર આપવામાં આવ્યા હતા અને તેને માટે તેમણે કેટલુંક બાંધકામ કરવું પડ્યું હતું.


જોકે, કેડીએમએ (કોલકાતા મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા સાત ફેબ્રુઆરી, 2023ના રોજ કૉન્ટ્રેક્ટ ટર્મિનેટ કરી દેવામાં આવ્યો હતો.


કેડીએમએએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાઠોડ દ્વારા જમા કરવામાં આવેલી લાઈસન્સ ફી અને બાંધકામ માટે થયેલો ખર્ચનું વળતર આપી દેશે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…