નેશનલ

રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં મૃત કમર્ચારીની ડ્યૂટી લગાવી

લખનઉઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની બલિયાની મુલાકાત દરમિયાન મૃતક કર્મચારીને ફરજ સોંપવા બદલ ચીફ મેડિકલ ઓફિસના એક ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. વિજયપતિ દ્વિવેદીએ જણાવ્યું હતું કે CMO ઑફિસના ક્લાર્ક બ્રિજેશ કુમારને શનિવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અધિક નિયામકની ઑફિસ, આઝમગઢમાં જોડવામાં આવ્યા છે.

સીએમઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં ક્લાર્ક બ્રિજેશ કુમારે ગંભીર ભૂલ કરી હતી. કુમારે કથિત રીતે રાજ્યપાલ પટેલના કાર્યક્રમમાં મૃત કર્મચારીને ફરજ સોંપી હતી. આ ઉપરાંત ખાદ્યપદાર્થોની ચકાસણી કરવા માટે કોઈ કર્મચારીને ફરજ પર મૂકવામાં આવ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પટેલ 26મી નવેમ્બરના રોજ જિલ્લાના બલિયા સ્થિત જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા.

આનંદી બહેન પટેલ ગુજરાતનાં મુખ્ય પ્રધાન રહી ચૂક્યાં છે તેમ જ શિક્ષણ અને મહેસૂલ વિભાગના કેબિનેટ પ્રધાન પણ રહી ચૂક્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…