આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ-નાશિક હાઇવે પર અકસ્માતમાં ચાર જણ ઘાયલ

થાણે: મુંબઈ-નાશિક હાઇવે પર ખારેગાંવ ટોલનાકા નજીક રવિવારે સવારે ટ્રક સાથે ટેન્કર ભટકાતાં ચાર જણ ઘાયલ થયા હતા. ઘાયલોની ઓળખ ટ્રકચાલક ઇજાઝ અહમદ, તેનો સાથીદાર રાશિદ અબ્દુલ, પ્રવાસી અમઝદ ખાન અને અબ્દુલ સમદ તરીકે થઇ હોઇ તેમને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નાશિકના માલેગાંવથી ટ્રક મુંબઈ તરફ આવી રહી હતી અને તેમાં આઠ જણ પ્રવાસ કરી રહ્યા હતા. ટ્રકમાં 12 ટન મેંદો હતો. રવિવારે સવારે છ વાગ્યાની આસપાસ ટ્રક ખારેગાંવ નજીક આવી ત્યારે ચાલક ઇજાઝ અહમદે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં તે સામેથી આવનારા ટેન્કર સાથે ટકરાઇ હતી. એમ પોલીસે કહ્યું હતું.

દરમિયાન અકસ્માતની જાણ થતાં કલવા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓ અને અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા લોકોને ટ્રકમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા હતા. અકસ્માતને કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. બાદમાં ક્રેનની મદદથી બંને વાહનને રસ્તા પરથી હટાવાયા હતાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…