આમચી મુંબઈમહારાષ્ટ્ર

આરએસએસના સ્થાપકના સ્મારકની મુલાકાતમાં અજિત પવાર જૂથ ગેરહાજર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એનસીપીના અજિત પવાર જૂથના વિધાનસભ્યોએ ભાજપના આમંત્રણને અવગણીને આરએસએસના સ્થાપક કે. બી. (કેશવ બળીરામ) હેગડેવાર અને બીજા સરસંઘચાલક એમ. એસ. (માધવ સદાશિવરાવ) ગોલવલકરના રેશીમબાગમાં આવેલા સ્મારકની મુલાકાત લીધી નહોતી.

ભાજપ દ્વારા સત્તાધારી મહાયુતીના ભાગીદાર પક્ષો શિવસેના અને એનસીપીના અજિત પવાર જૂથને સોમવારે આ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંગળવારની આ મુલાકાતમાં અજિત પવાર જૂથ ગેરહાજર રહેતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
ભાજપના પ્રધાનો અને વિધાનસભ્યો દરવર્ષે શિયાળુ સત્ર દરમિયાન હેગડેવાર અને ગોલવલકરના સ્મારકની મુલાકાત લેતા હોય છે. મંગળવારે સવારે ભાજપના કેટલાક નેતાઓ, રાજ્યના પ્રધાનો અને વિધાનસભ્યોએ હેગડેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી.

વિધાનભવન પરિસરમાં અજિત પવાર જૂથના વિધાનસભ્ય અમોલ મીટકરીએ કહ્યું હતું કે અમારે ત્યાં જવું કે નહીં તે અમારો અધિકા છે. કોઈ ચોક્કસ સ્થળની મુલાકાત લેવી કે નહીં તે દરેક પાર્ટીનો વિશેષાધિકાર છે.

એ વાત સાચી છે કે એનસીપીને ભાજપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ત્યાં ગયું નથી, એમ પણ પાર્ટીના એક પદાધિકારીએ કહ્યું હતું. બીજી તરફ એકનાથ શિંદે જૂથના દીપક કેસરકર, ભરત ગોગાવલે અને મનીષા કાયંદે સહિત કેટલાક નેતાઓ સ્મારકની મુલાકાત માટે ગયા હતા.

હેગડેવાર સ્મૃતિ મંદિર રેશીમબાગ વિસ્તારમાં સંઘ (આરએસએસ)ના મુખ્યાલયમાં આવેલું છે. બીજી તરફ અજિત પવાર જૂથના અન્ય એક પદાધિકારીએ એમ કહ્યું હતું કે અજિત પવારની નાગપુરના અખબારોના તંત્રીઓ સાથે પુર્વનિર્ધારિત બેઠક સવારે 8 વાગ્યે હતી એટલે તેઓ જઈ શકે તેમ નહોતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…