ઇન્ટરનેશનલ

રશિયા-યુક્રેન સંઘર્ષમાં વધુ 16 નેપાલીઓનો બલિ લેવાયો, નેપાળ સરકારે કરી વળતરની માંગ

રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષનો કોઈ અંત દેખાતો નથી. આ સંઘર્ષમાં નેપાળી, ભારતીય જેવા અનેક વિદેશી સૈનિકો પણ જોડાયા છે, પરંતુ હાલમાં આ યુદ્ધમાં કેટલાક નેપાળીઓના મોત થયા હોવાના અહેવાલો આવ્યા છે. મળતી માહિતી મુજબ આ યુદ્ધમાં હાલમાં ૧૬ નેપાળી માર્યા ગયા છે. આની સાથે જ અત્યાર સુધીમાં રશિયા યુક્રેન સંઘર્ષમાં માર્યા ગયેલા નેપાળી યુવાનોની સંખ્યા વધીને 33 થઈ ગઈ છે. નેપાળ સરકારે ભારતીય સેનામાં ગોરખાઓની ભરતી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, તેથી ગરીબ ગોરખાઓ રોજીરોટી માટે રશિયા જોઈને ત્યાંના સૈન્યમાં જોડાઈ રહ્યા છે. કુલ 33 નેપાળીના મૃત્યુ સાથે રશિયા યુક્રેન સંઘર્ષમાં રશિયાની બહારના કોઈપણ દેશના લોકોના મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે.

નેપાળીઓના મોત પર હવે નેપાળ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. નેપાળ સરકારે તેના સૈનિકોને પાછા બોલાવવા માંડ્યા છે. નેપાળ સરકારે રશિયાની સરકારને તેના સૈનિકોને પાછા મોકલવાની વિનંતી કરી છે. માર્યા ગયેલા નેપાળી સૈનિકોના પરિવારના સભ્યોના ડીએનએના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને આ નમૂનાઓને ઓળખ માટે રશિયા મોકલવામાં આવી રહ્યા છે.

નેપાળનું વિદેશ મંત્રાલય જણાવે છે કે નેપાળ તેના નાગરિકોની ભરતી માત્ર તે જ વિદેશી સેનામાં કરવાની મંજૂરી આપે છે જેની સાથે તેણે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નેપાળની સરકારે અગાઉ તેના નાગરિકોને કોન્સ્યુલર અફેર્સ વિભાગમાંથી નો ઓબ્જેક્શન લેટર મેળવ્યા વિના રશિયાની મુલાકાત નહીં લેવા માટે જણાવ્યું હતું, કારણ કે 200થી વધુ નેપાળી પરિવારોએ રશિયન સૈન્યમાં સેવા આપતા તેમાં તેમના સંબંધીઓને બચાવવા માટે ફરિયાદ નોંધાવી હતી. રશિયન આર્મીમાં ફરજ બજાવતા અનેક નેપાળીઓ ઘાયલ થયા છે અને અનેક ગુમ થયા છે.

નેપાળના વિદેશ મંત્રાલય રશિયન સેનામાં કામ કરતા નેપાળીઓના મુદ્દે રશિયાના વિદેશ પ્રધાન સાથે વાત કરી હતી અને માર્યા ગયેલા નેપાળીઓને ઝડપથી સ્વદેશ પરત લાવવા તેમ જ મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવા વિનંતી કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…