નેશનલ

‘1962માં નબળા નેતૃત્વની કિંમત આખા દેશે ચૂકવવી પડી..’: કેન્દ્રીય પ્રધાને સાધ્યું વિપક્ષ પર નિશાન

“નબળા નેતૃત્વને કારણે આપણા સૈન્યના મનોબળને અક્ષમ્ય નુકસાન પહોંચ્યું અને તેની મોટી કિંમત આપણે ચૂકવવી પડી. આપણા દેશને વૈશ્વિક સ્તરે અપમાન સહન કરવું પડ્યું હતું.”

આ શબ્દો છે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરના. તેમણે બુધવારે એક ઇન્ટરવ્યુમાં 1962ના ભારત-ચીન યુદ્ધનો ઉલ્લેખ કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનનના રાજકીય નેતૃત્વના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરી રહ્યું હતું કે, “20 ઓક્ટોબરથી 21 નવેમ્બર 1962 એ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક અપમાનજનક અધ્યાયના રૂપમાં યાદ રખાશે. આ એ સમય હતો જ્યારે હજારો ભારતીયો અને આપણા અનેક જવાનોએ પીએમ નહેરુ અને તેમના વામપંથી રક્ષાપ્રધાન કૃષ્ણ મેનનના તત્કાલીન રાજકીય નેતૃત્વવાળી હિંદી-ચીની ભાઇ ભાઇ પોલીસીની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી હતી.”


નબળા નેતૃત્વને કારણે આપણા સૈન્યના મનોબળને ગંભીર નુકસાન પહોંચ્યું. આખા દેશને એ કમજોર અને ભ્રામક નેતૃત્વની કિંમત ચૂકવવી પડી. વૈશ્વિક સ્તરે આપણા દેશે અપમાન સહન કર્યું. દુશ્મનની છેલ્લી ગોળી પણ સામી છાતીએ ઝીલીને બહાદુરીથી લડનારા આપણા જવાનોના મનોબળને નુકસાન પહોંચ્યું. કેટલાય જવાનો દેશ માટે લડતા લડતા યુદ્ધના મેદાન પર શહીદ થયા.


કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ અનેક એવા તથ્યો દેશ સામે લાવશે, જેમાં સાબિત થાય કે પહેલાના નેતાઓનું નેતૃત્વ કેટલું કમજોર રહ્યું છે. આપણા બહાદુર જવાનોએ તેમના જીવનું બલિદાન આપ્યું. દેશની લગભગ 38 હજાર વર્ગ કિમી જમીન છીનવાઇ ગઇ. દેશે હવે ફરી ક્યારેય આવું ઝેલવું નહિ પડે. આ પીએમ મોદીનું ‘ન્યુ ઇન્ડિયા’ છે. જે ક્યારેય ભૂલતું નથી અને માફ પણ નથી કરતું.


આ અગાઉ પણ ગત 14 ઓક્ટોબરે રાજીવ ચંદ્રશેખરે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર જ કોંગ્રેસ પાર્ટીનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર કોંગ્રેસના ડીએનએમાં વણાયેલો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…