નેશનલ

એનડીએના શાસનના દસ વર્ષ તો માત્ર ટ્રેલર, હજુ આવવાનું બાકી છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

થ્રિસુર (કેરળ): ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યાના એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કેરળમાં કહ્યું હતું કે એનડીએના શાસનના છેલ્લા દાયકામાં જે જોવા મળ્યું હતું તે માત્ર ટ્રેલર હતું, કેરળ અને દેશની પ્રગતિ માટે હજુ ઘણું કરવાનું બાકી છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન માટે દક્ષિણના રાજ્યનું સમર્થન માગ્યું હતું.

કુન્નમકુલમ ખાતે એનડીએ દ્વારા આયોજિત એક ચૂંટણી સભાને સંબોધતા, મોદીએ રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા હતા, જેઓ હાલમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કેરળમાં છે, કોંગ્રેસના નેતા પર ઉત્તર પ્રદેશમાં તેમના પરિવારની બેઠકનું રક્ષણ કરવામાં અસમર્થ હોવાનો અને કરુવન્નુર બેંક કૌભાંડ પર ચૂપ રહેવાનો આરોપ લગાવ્યો હતો. .


મોદીએ કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં જે થયું તે માત્ર ટ્રેલર હતું, કેરળ અને ભારત માટે હજુ ઘણું કરવાનું બાકી છે.
તેમણે કહ્યું હતું કે કેરળમાં પ્રગતિનું એક વર્ષ હશે અને તેમણે ભાજપના ઢંઢેરામાં ઉલ્લેખિત વિવિધ વચનો અને વિકાસ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો.


રાહુલ ગાંધીનું નામ લીધા વિના, પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના યુવરાજ (રાજકુમાર) ઉત્તર પ્રદેશમાં તેમની બેઠકની સુરક્ષા કરીને તેમના પરિવારના ગૌરવને સુરક્ષિત કરવામાં અસમર્થ હતા અને કેરળમાં વોટ માંગવા આવ્યા છે.
કોંગ્રેસ નેતા કેરળના લોકો પાસેથી મત માંગશે પરંતુ તેમના હિતમાં અવાજ ઉઠાવશે નહીં, કારણ કે તે રાજ્યમાં સત્તાધારી સીપીઆઈ(એમ) દ્વારા નિયંત્રિત કરુવન્નુર કો-ઓપરેટિવ બેંકમાં કરોડો રૂપિયાના કૌભાંડ અંગે મૌન હતા, એમ મોદીએ જણાવ્યું હતું.


તેમણે લોકસભા ચૂંટણી માટે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) ની રાજકીય શાખા, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (એસડીપીઆઈ) દ્વારા આપવામાં આવેલા સમર્થન અંગે પણ કોંગ્રેસની ટીકા કરી હતી.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તે કોંગ્રેસ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે ભારતમાં પ્રતિબંધિત સંગઠનની રાજકીય પાંખ એસડીપીઆઈ વચ્ચે પાછલા બારણે કરાર થયા છે.


મોદીએ દાવો કર્યો હતો કે તેમણે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરુવન્નુર કો-ઓપરેટિવ બેંક કૌભાંડની તપાસ શરૂ કરી હતી અને હવે તેઓ એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલી રકમમાંથી થાપણદારોના નાણાં કેવી રીતે પરત કરી શકાય તે અંગે કાયદાકીય સલાહ લઈ રહ્યા છે.


મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ યુડીએફ અને શાસક એલડીએફ રાજ્યમાં પ્રગતિ અને વિકાસમાં અવરોધરૂપ છે. તેમણે કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ રાજ્યમાં ડાબેરી મોરચાની ટીકા કરી હતી.
પીએમ મોદીએ તેમના ભાષણમાં એવો પણ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે કેરળ આગામી લોકસભા ચૂંટણી પછી સંસદમાં તેનો અવાજ સંભળાય તે સુનિશ્ર્ચિત કરશે.


તેમણે એવું વચન આપ્યું હતું કે એકવાર એનડીએ સરકાર ત્રીજી વખત સત્તામાં આવશે પછી અમદાવાદ અને મુંબઈ જેવી જ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન માટે સર્વેક્ષણ કાર્ય શરૂ કરશે. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન વિકાસને વેગ આપશે અને હજારો રોજગારીની તકો ઉભી કરશે.


વડા પ્રધાન મોદીની આ રાજ્યની છઠ્ઠી મુલાકાત છે. તેઓ છેલ્લે 19 માર્ચે કેરળ આવ્યા હતા અને પલક્કડ જિલ્લામાં એક વિશાળ રોડ શો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!