નેશનલ

ઇન્ડિગો પર ફ્રોડનો આક્ષેપ: માત્ર 8 મુસાફરોને કારણે ટેક ઓફ ન થઇ ફ્લાઇટ, બળજબરીપૂર્વક મુસાફરોને ઉતારી મુક્યા

નવી દિલ્હી: ઇન્ડિગો એરલાઇન્સ ફરી એકવાર વિવાદોમાં આવી છે. કેટલાક પ્રવાસીઓએ ફરિયાદ કરી છે કે રવિવારે રાત્રે ચેન્નઇ પહોંચાડનારી ઇન્ડિગો ફ્લાઇટથી ઉતર્યા બાદ તેઓ બેંગલુરૂ એરપોર્ટ પર જ ફસાયેલા રહ્યા હતા. એરલાઇન્સે મુસાફરો માટે રાત્રિરોકાણની પણ વ્યવસ્થા કરી ન હતી. આ મામલે ઇન્ડિગોએ પણ સ્પષ્ટતા કરી હતી.

પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે ઇન્ડિગો એરલાઇન્સે તેમના મૂર્ખ બનાવ્યા. બેંગલુરૂથી ચેન્નઇ જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં 2 વૃદ્ધો સહિત 8 લોકો સવાર હતા. પરંતુ ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સે તેમને જબરજસ્તી ઉતારી મુક્યા. તેમને ઓપ્શનલ ફ્લાઇટમાં બેસાડવાની વાત કરવામાં આવી હતી પરંતુ તેવું થયું નહિ. ઈન્ડિગો માત્ર 8 મુસાફરો સાથે ઉડાન ભરવા તૈયાર ન હતી.

ઇન્ડિગોએ તમામ આરોપો ફગાવતા કહ્યું હતું કે ફ્લાઇટ 6E 478 અમૃતસરથી બેંગલુરૂ થઇને ચેન્નઇ જવાની હતી. તેમાં 8 ટ્રાન્ઝિટ મુસાફરો સવાર હતા. અમૃતસરથી આવતી ફ્લાઇટને આવતા મોડું થતા મુસાફરો બેંગલુરૂ એરપોર્ટ પર ચેન્નઇ માટે આગળની ફ્લાઇટમાં ચડવા માટે અસમર્થ હતા. ઈન્ડિગોએ કહ્યું હતું કે એરલાઈન્સે તમામ મુસાફરોને હોટલમાં રહેવાની ઓફર કરી હતી. પરંતુ બધાએ એરપોર્ટ લોન્જમાં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો. આ પછી એરલાઇન્સ દ્વારા અસુવિધા માટે મુસાફરોની માફી માગવામાં આવી હતી.

એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ઓપરેશનલ કારણોસર ચેન્નાઈ તરફ જતી ફ્લાઈટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના કારણે મુસાફરોને ફ્લાઈટમાંથી નીચે ઉતારવા પડ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza