નેશનલ

બાબા મહાકાલ સાથે જોડાયેલી ઉજ્જૈનની આ વર્ષોજૂની પરંપરાનો સીએમ મોહન યાદવે કર્યો ભંગ..

મધ્યપ્રદેશ: કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા અને સ્વ. વડા પ્રધાન મોરારજી દેસાઇ વચ્ચે એક ગજબની સમાનતા છે. આ બંને નેતાઓએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા મહાકાલના ધામમાં રાત્રિરોકાણ કર્યું હતું, અને બંનેને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્તમાન કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રાત્રે ઉજ્જૈન શહેરમાં રોકાતા નથી. જો કે આટલા ઉદાહરણો ઇતિહાસમાં હોવા છતાં પણ મધ્યપ્રદેશના નવનિયુક્ત મુખ્યપ્રધાન મોહન યાદવે આ વર્ષો જૂની માન્યતાને તોડી ઉજ્જૈનમાં રાત રોકાયા હતા. તેમણે કહ્યું હતું કે હું તો બાબા મહાકાલનો પુત્ર છું, એટલે હું અહીં રાત રોકાઇ શકું છું.

મધ્યપ્રદેશના રાજકારણમાં એવી વર્ષો જૂની પૌરાણિક વાયકા રહી છે કે બાબા મહાકાલ ઉજ્જૈનના રાજા છે, તેઓ ઉજ્જૈન પર શાસન કરે છે, આથી અન્ય કોઇ રાજા, કે વડા પ્રધાન કે જનપ્રતિનિધિ ત્યાં રોકાઇ ન શકે કારણકે પહેલેથી એક રાજા હાજર છે જ, બાબા મહાકાલથી મોટો ઉજ્જૈનનો કોઇ શાસક હોઇ ન શકે જો તેમના હોવા છતાં અન્ય કોઇ રાજા રોકાય તો તેને રાજ્ય ગુમાવવું પડે, આજે પણ ઉજ્જૈનના ગ્રામ્ય વિસ્તારના લોકો અન્ય રાજાની હાજરીને એક ગુનો માને છે, અને આ પરંપરાનો ભંગ કરનારને સજા ભોગવવી પડે છે. કેટલાક અહેવાલો મુજબ મધ્યપ્રદેશના રાજપરિવારે આ માન્યતાને કારણે તેમનો રાજમહેલ ખસેડવો પડ્યો હતો.


જો કે સીએમ મોહન યાદવે સભા સંબોધતા જણાવ્યું હતું કે જો મારું નુકસાન થવાનું જ છે, તો તે ગમે ત્યાં થશે, નગર નિગમ રાજ્યથી શું લેવાદેવા? ભગવાન મહાકાલ ફક્ત ઉજ્જૈન કે મધ્યપ્રદેશના જ નહિ, પરંતુ સમગ્ર બ્રહ્માંડના રાજા છે. આપણે તેમના બાળકો છીએ. તેમની ઇચ્છા હતી તો હું મુખ્યપ્રધાન બન્યો અને તેમની જ ઇચ્છા હતી કે હું રાત્રિ રોકાણ કરીને આ માન્યતા તોડું.


“અહીં લાંબા સમય સુધી શાસન કરનારા સિંધિયા રાજપરિવારના રાજાને પોતાની રાજધાની ગ્વાલિયરમાં સ્થાપિત કરવી હતી, અને અહીં કોઇ આક્રમણ ન થાય એ માટે સુરક્ષાના હેતુસર આ માન્યતા ઘડવામાં આવી, તેમ સીએમ મોહન યાદવે જણાવ્યું હતું. ઉજ્જૈનના રાજા તો બાબા મહાકાલ છે, અને હું તેમનું સંતાન છું. આપણે સૌ બાબાના સંતાનો છીએ. બાબા તો જન્મ આપનારા છે, આશીર્વાદ આપનારા છે. ” તેમ સીએમ મોહન યાદવે જણાવ્યું હતું.
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે મોહન યાદવે 13 ડિસેમ્બરના રોજ શપથ લીધા હતા. તેમનો જન્મ પણ અહીં જ થયો હતો અને બાળપણ ઉજ્જૈનની ગલીઓમાં વિત્યું હતું. સીએમ બનતા પહેલા તેઓ 3 વાર ઉજ્જૈનથી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમજ અગાઉની ભાજપ સરકાર દરમિયાન ઉચ્ચ શિક્ષણ પ્રધાન પણ રહી ચુક્યા છે. તેમની રુચિની પ્રવૃત્તિઓમાં પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત વગેરેનો પણ સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!