નેશનલ

ભાજપનું બેવડું ધોરણ

લોકસભામાં મહિલાને 33 ટકા આરક્ષણનો ખરડો મંજૂર કર્યો

મહારાષ્ટ્રમાં મહિલા સંસદસભ્યની ટિકિટ કાપી નાખવાનો આદેશ

વિપુલ વૈદ્ય

મુંબઈ: ભાજપની કથની અને કરણીમાં કેટલું અંતર છે તેનું જીવતું જાગતું ઉદાહરણ બુધવારે જોવા મળ્યું હતું. સંસદમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણનો ખરડો મંજૂર કરાવનારી ભાજપે પોતાના સાથી પક્ષની મહિલા સાંસદની ટિકિટ કાપવાનો આદેશ આપીને તેમને અન્યાય કરવાનું કામ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. યવતમાળ-વાશિમના મહિલા સંસદસભ્ય ભાવના ગવળી ભાજપના સાથી એકનાથ શિંદેના જૂથના છે. ભાજપના ઉચ્ચ-પદસ્થ સૂત્રો પાસેથી એવી જાણકારી મળી છે કે તેમને ઉમેદવારી ન આપવા માટે સ્પષ્ટ શબ્દોમાં એકનાથ શિંદેને નિર્દેશ આપવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ ભાજપના મદન યેરાવરને આ બેઠક પરથી ઉમેદવારી આપવાની તૈયારી ચાલી રહી છે. મદન યેરાવર ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના ખાસ હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેમને સંસદસભ્ય બનાવવા માટે આ આખી કવાયત કરવામાં આવી રહી છે એવું જાણવા મળ્યું છે.

ભાજપના ટોચના એક નેતાએ એવો દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા અત્યારે મહારાષ્ટ્રની લોકસભાની 48 બેઠકનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને આ સર્વેક્ષણમાં એકનાથ શિંદેના 12 સંસદસભ્યોના મતવિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાવના ગવળી જ નહીં અન્ય ત્રણ સંસદસભ્યોની પણ આગામી લોકસભાની ચૂંટણીમાં જીતવાની તકો ઓછી દેખાઈ રહી છે. આ જ કારણસર ચારેયને ઉમેદવારી ન આપવી એવા નિર્દેશ એકનાથ શિંદેને આપવામાં આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે.

બીજી તરફ એકનાથ શિંદેના જૂથ પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપના બે વખતના વિધાનસભ્ય અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નજીકના મદન યેરાવરને ઉમેદવારી આપવા માગતા હોવાથી જ તેઓ ભાવના ગવળીની ટિકિટ કાપવા માગે છે. જોકે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાવના ગવળીને સ્થાને અન્ય કોઈને ઉમેદવારી આપવામાં આવશે તો આ બેઠક પરથી તેનો પરાજય થશે અને શિવસેનાના (ઠાકરે જૂથ)ના નેતા સંજય દેશમુખ મરાઠા મતોને જોરે જીતી જશે. અહીં ઉલ્લેખનીય છે કે ભાવના ગવળીના બંજારા સમાજના સૌથી વધુ મતો આ વિસ્તારમાં છે અને ત્યાર પછીના સ્થાને મરાઠા મતોનો સમાવેશ થાય છે. અત્યારે યવતમાળ-વાશિમ લોકસભા મતદારસંઘમાં આવતા છ મતદારસંઘમાંથી યવતમાળમાં મદન યેરાવર-ભાજપ, કારંજામાં રાજેન્દ્ર પટની-ભાજપ, રાળેગાંવમાં અશોક ઉઈકે-ભાજપ અને વાશિમમાં લખન મલિક-ભાજપ એમ ચાર વિધાનસભા ભાજપ પાસે છે જ્યારે પુસદમાં ઈન્દ્રનીલ નાઈક-એનસીપી અને દિગ્રસમાં સંજય રાઠોડ-શિવસેના પાસે છે. આ સ્થિતિમાં ભાજપ લોકસભા મતદારસંઘ પર પોતાનો દાવો માંડે એવી શક્યતા જોવાઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…