નેશનલ

આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના: મૃત્યુઆંક વધીને 13 થયો, વળતરની જાહેરાત

આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં રવિવારે સાંજે બે પેસેન્જર ટ્રેનો અથડાઈ જતા મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આજે સોમવાર સવારે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 થયો હતો, જ્યારે 40થી વધુ  મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને વિશાખાપટ્ટનમ અને વિજિયાનગરમની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજા પામેલા લોકોને 50,000 રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.

આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન રેડ્ડીએ પણ પીડિતો માટે વળતરની પણ જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર તરફથી આંધ્રપ્રદેશના મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે અન્ય રાજ્યોના મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડા પ્રધાને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે પીડિતોને શક્ય તમામ મદદ કરવાની પણ જાહેરાત કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

રેલવેએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કંટકપલ્લીમાં રવિવારે સાંજે 7 વાગ્યે ટ્રેન નંબર 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેને 08532 વિશાખાપટ્ટનમ-પલાસાને પાછળથી ટક્કર મારી હતી હતી. જેના કારણે ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.

રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે આ ટ્રેન દુર્ઘટના અલામંદા અને કંટકપલ્લી રેલ્વે સ્ટેશન વચ્ચે થઈ હતી. આ દુર્ઘટના હાવડા-ચેન્નઇ લાઇન પર સર્જાઈ હતી. જેને કારણે 18 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 22 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. અમે સાંજે 4 વાગ્યા સુધી અસરગ્રસ્ત રૂટ પર ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ટ્રેન દુર્ઘટના બાદ વિજિયાનગરમ જિલ્લાના જિલ્લા કલેક્ટરની ઓફિસમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર 9493589157 છે. આ ઉપરાંત મુસાફરોના પરિવારની મદદ માટે હેલ્પલાઇન નંબર 8978080006 પણ જાહેર કરવામાં આવ્યો છે.

સાંજે બનેલી દુર્ઘટના બાદ આખી રાત રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું. રેલવે વિભાગ ટ્રેકને કાર્યરત કરવા કામ કરી રહ્યું છે. અકસ્માત પાછળનું કારણ માનવીય ભૂલ હોવાના અહેવાલો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…